વારંવાર પગમાં સોજા ચડી જાય છે? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, મળશે રાહત

મોટાભાગના લોકોને આજકાલ પગમાં સોજા આવી જતા હોય છે, જેને કારણે તેમને ખૂબ જ તકલીફ થતી હોય છે. જો કે સોજો આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેવા કે અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકોડાઇ જાય છે કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ થઈ શકે છે. અનેકવાર ગર્ભાવસ્થામાં પણ આ પરેશાની થઈ જાય છે, પણ તેનાથી મુક્તિ મેળવવા માટે તમે આ અસરકારક ઉપાય અપનાવી શકો છો.

– સોજાવાળા સ્થાન પર સૌ પહેલા બરફ ઘસો. પણ ધ્યાન એ રાખો કે, બરફ ડાયરેક્ટ સોજા પર ન ઘસો. તે માટે એક કપડા પર બરફના ટુકડા બાંધી લો અને દુખાવાવાળા સ્થાન પર લગાવો. આવુ ઓછામાં ઓછુ 5 થી 10 મિનિટ સુધી કરો.

– જે પગ પર સોજો હોય તેને સૂતા કે પછી બેઠા બેઠા તકિયાના ઉપર રાખો. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહી થાય. તેમના પર ભાર પણ નહી પડે. જે કારણે સોજો ઓછો થવા માંડશે.

– હળદર તમારા સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયેળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર લગાવો. જ્યારે એ સૂકાઇ જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઇ લો. દરરોજ બેથી ત્રણવાર આવુ કરવાથી તમને દુખાવો અને સોજામાં રાહત મળશે. આ એક ચમત્કારિક નુસ્ખો છે.

– પગમાં સોજો આવતા તમે દિવસમાં બે વાર તેની પર નવાયા પાણીમાં સિંધાલુણ નાખીને શેક કરો. આ શેક ઓછામાં ઓછા રોજ 20 મિનિટ માટે કરો. પછી પગને હવા ન લાગે માટે ટોવેલમાં લપેટી લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો