સીઆરપીએફના લેડી સિંઘમ! આતંકવાદીઓ પર તૂટી પડ્યા સંતો દેવી, બેને ઠાર કર્યા અને ત્રણને જીવતા દબોચ્યા

શ્રીનગરના બહારી વિસ્તાર લાવેપુરામાં બુધવારે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સીઆરપીએફની 73મી બટાલિયનની સેકન્ડ ઈન્ચાર્જ સંતો દેવી આતંકવાદીઓ પર લેડી સિંઘમની જેમ તૂટી પડી. તેમના નેતૃત્વમાં ટીમે બે આતંકવાદીઓને ઠાર કર્યા જ્યારે ત્રણને જીવતા ઘાયલ અવસ્થામાં ઝડપી પાડ્યા છે. જ્યારે સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે.

ફાયરિંગ થતા જ અમે મોર્ચો સંભાળી લીધો. જવાબી ફાયરિંગમાં સ્કૂટી ચલાવી રહેલો આતંકવાદી ગંભીર રીતે ઘાયલ થયો, અને બે લોકોને સ્થળ પર જ ઠાર કર્યા. ઘાયલ આતંકીને અમારી ટીમે ઝડપી પાડ્યો, અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. બતાવવામાં આવી રહ્યું છે કે, સંતો દેવી જવાનો સાથે રસ્તા વચ્ચે જ મોર્ચો સંભાળી લીધો હતો.

સંતો દેવી હરિયાણાના રહેવાસી છે, અને છેલ્લા 33 વર્ષથી સીઆરપીએફમાં સેવા આપી રહ્યા છે. સંતો દેવી અનુસાર, આ પૂરૂ ઓપરેશન શરૂ થવામાં અને ખતમ થવામાં માત્ર 10 મિનીટનો સમય લાગ્યો. પરંતુ આ તેમની જિંદગીનું સૌથી કઠીન ઓપરેશન હતું.

રામલલા પરિસરમાં પણ દેખાડી ચુક્યા છે પોતાનું શૌર્ય

સંતો દેવી આ પહેલા પણ શૌર્યનું પ્રદર્શન કરી ચુક્યા છે. વર્ષ 2005માં આયોધ્યામાં રામલલા પરિસર પર થયેલા આતંકી હુમલાને નિષ્ફળ કરવાવાળી ટીમમાં પણ આ મહિલા અધિકારી ભાગ લઈ ચુક્યા છે.

ટાસ્ક પુરો કરવા પર ગર્વ

તેમને ગર્વ છે કે જે ટાસ્ક આપવામાં આવ્યો હતો તેને તેમણે સારી રીતે નિભાવ્યો અને આતંકીઓની ઈચ્છા પર પાણી ફેરવી તોળ્યું. જ્યારે સીઆરપીએફના તમામ મોટા અધિકારીઓએ આ ટીમને આ ઓપરેશન માટે શાબાશી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો