સુરતમાં દોઢ વર્ષથી કિન્નર સમાજમાં ભળેલા વ્યંઢળે ફાંસો ખાઈને આપઘાત કર્યો, આપઘાતનું કારણ અકબંધ

દોઢેક વર્ષથી કિન્નર સમાજમાં ભળી ગયેલો વેસુ એસએમસી આવાસમાં રહેતા વ્યંઢળે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બુધવારની સાંજે ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં કિન્નર મળી આવ્યો હતો. આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોટો ભાઈ ઊંઘતો હતો અને કિન્નરે આપઘાત કર્યો

વેસુ એસએમસી આવાસમાં રહેતા કલ્પેશ ઉર્ફે કલ્પના બાય દોલતભાઈ પરમાર (ઉ.વ.આ.18)એ બુધવારની સાંજે ઘરેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. માતા મંજુબેનએ જણાવ્યું હતું કે, 4 સંતાનમાંથી કલ્પેશ બીજા નંબરનો દીકરો હતો.કલ્પેશે ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો હતો.દોઢેક વર્ષ થી કિન્નર સમાજમાં(હોડી બંગલા) ચાલ્યો ગયો હતો.દર રવિવારે ઘરે માતાને મળવા આવતો હતો.બુધવારે ભાઈની દીકરીને કપડાં અપાવવા આવ્યો હતો.મોટો ભાઈ ઊંઘમાં અને કિન્નરે આપઘાત કરી લીધો હતો.ઘરકામ કરતાં માતાની સાથે કલ્પેશના આપઘાતથી આખો કિન્નર સમાજ શોક આવી ગયો હતો. દોઢ વર્ષમાં કલ્પેશ ઉર્ફે કલ્પના 4-5 વાર કિન્નર સમાજ સાથે પંજાબ, નડિયાદ ગંગાપુર, રાજપીપળા સુધી સંમેલનમાં ગયો હતો.ખુશ રહેતા કલ્પેશના આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો