હીરા ઉદ્યોગપતિ કેશુભાઈએ આદિવાસી બાળકો માટે બે વર્ષમાં 67 હોસ્ટેલ બનાવીને કરી લોકાર્પણ , 108 હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ. હજી 41 બનાવશે

સુરતને કર્મભૂમિ બનાવનાર હીરા ઉદ્યોગપતિ સમાજનું રૂણ અદા કરવા માટે આદિવાસી વિસ્તારમાં ભાગીદારીમાં 108 હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. માત્ર બે વર્ષમાં 67 હોસ્ટેલ બનાવી દીધી છે. મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામના વતની કેશુભાઈ ગોટીએ સુરતને ત્રણ દાયકાથી વધુ સમયથી કર્મભુમિ બનાવી છે. સુરતમાં મોટા પાયે તેઓનો હીરાનો ઉદ્યોગ છે.

સમાજનું ઋણ અદા કરવા હીરા ઉદ્યોગપતિ કેશુભાઈ ગોટીએ આદિવાસી બાળકોના વિકાસ માટે અને તેઓના અભ્યાસ માટે બે વર્ષ પહેલા હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેઓએ 108 હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. કારણ કે માળામાં 108 મણકા હોય એટલે 108 હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. એક હોસ્ટેલનો ખર્ચ 25 થી 30 લાખ છે.તે માટે તેઓએ માતૃશ્રી કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ નામથી ટ્રસ્ટ બનાવ્યું છે.

જેટલા પણ હોસ્ટેલ બન્યા છે અને બનાવવાના છે. તેમાં અડધા ભાગીદાર આ કેશુભાઈનું ટ્રસ્ટ હોય છે અને બાકીના અડધા ભાગીદાર અન્ય કોઈ પણ સંસ્થા કે વ્યકિત હોય છે. તમામ હોસ્ટેલોના અડધા ભાગીદાર કેશુભાઈનું ટ્રસ્ટ અને અડધામાં અન્ય લોકો છે.  માત્ર બે વર્ષમાં તેઓએ 67 હોસ્ટેલ બનાવી ખુલ્લી મુકી છે.જ્યારે 4 હોસ્ટેલ બનીને તૈયાર છે. હજી 41 હોસ્ટેલ બનાવવાની છે.તેઓએ એક હોસ્ટેલ ઓરિસ્સાના આદિવાસી વિસ્તારમાં પણ બનાવી છે. હોસ્ટેલ પર જે અડધા ભાગીદાર હોય છે તેમનું નામ લખાય છે. તેમાં પોતાના ટ્રસ્ટનું નામ નથી હોતું.

ભગવાને એટલું આપ્યું કે, લોકોની સેવા કરી શકું 

ડાંગમાં સેવાકિય પ્રવૃત્તિ માટે જઈએ છે એટલે ત્યાંના લોકોની જરૂરિયાતનો ખ્યાલ છે. તેથી તેમની જરૂરિયાત હોસ્ટેલની હોવાનું જણાયું હતું. તમામ ભાગીદારોએ સહકાર આપ્યો છે. ભગવાને મને એટલું આપ્યું કે હું લોકોની સેવા કરી શકું માટે હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું– કેશુભાઈ ગોટી, હોસ્ટેલ બનાવનાર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો