કરણી સેનાની સરકારને ખુલ્લી ચેતવણી: દિલ્હીનું શાહીનબાગ ખાલી કરાવી દો નહીં તો અમે બતાવી શું કે કેવી રીતે ખાલી થાય છે

દેશમાં કેટલાક સંગઠનો CAAના કાયદાનો હિંસક રીતે વિરોધ કરી રહ્યા છે અને કેટલાક સંગઠનો CAAના સમર્થનમાં રેલી યોજી રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનની રેલીમાં પણ લોકોનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કરણી સેના અને કેટલીક સંસ્થાઓએ સાથે મળીને CAAના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં દેશ કે ગદ્દરો કો ગોલી મારોના નારા પણ લાગ્યા હતા. આ ઉપરાંત કરણીસેનાના અધ્યક્ષે કરણી સેના દિલ્હીમાં જઈને શાહીનબાગ ખાલી કરાવશે તેવી સરકારને ચેતવણી આપી છે.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, CAAના સમર્થનમાં કરણી સેના દ્વારા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પદયાત્રામાં રાષ્ટ્રવાદી સંગઠનોએ પણ ભાગ લીધો છે.

અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે અમે રાષ્ટ્રવાદી હિંદુ સંગઠનો વિરોધ નહીં થવા દઈએ. અમે પદ યાત્રાના માધ્યમથી સરકારને સમર્થન પહોંચાડી શું કે, અમે તમારી સાથે ઉભા છીએ. તમારે કોઈથી ડરવાની જરૂર નથી.

રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકારને ખુલ્લી ચેતવણી આપી છીએ કે, તમે દિલ્હીનું શાહીનબાગ ખાલી કરાવી દો નહીં તો કરણી સેના અને બધા રાષ્ટ્રવાદી સંગઠનો ત્યા આવી રહ્યા છે. અમે બતાવી શું કેવી રીતે ખાલી થાય છે. ‘દેશ કે ગદ્દરો કો ગોલી મારો’ રાજ શેખાવત પણ આજ બોલે છે એ ફૌજી માણસ છે. દેશના ગદ્દારો દેશની અંદર નથી જોઈતા. CAAનો વિરોધ શા માટે થઇ રહ્યો છે મને જણાવવામાં આવે. CAAનો કાયદો આ દેશના લોકો માટે છે જ નહીં. આ કાયદો વિદેશીઓ માટે બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો