જૂનાગઢમાં લુખ્ખા તત્વો બન્યા બેખૌફ! પૂર્વ મેયર લાખાભાઈના દીકરાની ધોળે દિવસે કરપીણ હત્યા

સંત નરસિંહ મહેતા અને ગિરનારી સંતોની ભૂમિ જૂનાગઢને જાણે લુખ્ખા તત્વોએ બાનમાં લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. હજુ તો થોડા સમય પહેલાં જ ડોલી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી એ ઘટનાને જાજો સમય વીત્યો નથી ત્યાં ફરી એકવાર જાહેરમાં હત્યા થઈ છે. આ વખતે પૂર્વ મેયર લાખાભાઈ પરમારના દીકરા ધર્મે પરમારની હત્યા કરવામાં આવી છે.

બનાવની વિગતો એવી છે કે લાખાભાઈના પુત્ર ધર્મેશ સ્કૂટર પરથી બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થતા હતા ત્યારે તેમના પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ધર્મેશ પરમારનું કરૂણ મોત થયું હતું.

તીક્ષ્ણ હથિયારો અને બોથડ પદાર્થોના ઘા ઝીંકાતા લોહીલુહાણ હાલતમાં ધર્મેશ પરમારને હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ હત્યા રાજકીય હોવાની સંપૂર્ણ સંભાવનાઓ છે.

જોકે, લાખાભાઈના દીકરાની હત્યાના સમાચારો વાયુવેગે પ્રસરાઈ જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા હૉસ્પિટલે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા જૂનાગઢ SP, LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસે આસપાસના સ્થળોનાં સીસીટીવી ચેક કરવાની શરૂઆત હતી. જોકે, ચૂંટણીની અદાવતમાં પણ આ હત્યા થઈ હોવાનો ગણગણાટ શરૂ થયો છે પરંતુ હજુ સુધી કારણ સામે આવ્યું નથી. દરમિયાન પરમાર પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.

ધાર્મિક નગરી તરીકે ઓળખાતું અને સંતોનું નગર જૂનાગઢ જાણે કે આવારા તત્વોના હવાલે થઈ ગયું હોય તેવો ઘાટ છે. આ ઘટના પાછળ લોકોને રાજકીય ગંધ આવી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો