પુણ્યનુ ભાથુ બાંધવા જેતપુરના ખેડૂતે બનાવ્યું અદભુત ડિઝાઈનનું પક્ષીઘર, દરેક ઋતુમાં કરશે પક્ષીઓનું રક્ષણ, જુઓ વિડિયો

આપે પક્ષીઘર તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે એક એવા અનોખા પક્ષીઘર વિશે વાત કરીશું, જે આજ પહેલા તમે ક્યારેય જોયું નહીં હોય. અનોખી ડિઝાઇન સાથેનું આ પક્ષીઘર એક સેવાભાવી ખેડૂતે તૈયાર કર્યું છે જેના માટે તેણે 20 લાખથી વધુનો કર્યો છે.

રાજકોટના જેતપુરના નવી સાંકળી ગામના ભગવાનજીભાઇ રૂપાપરા આ ખેડૂતે તેના જીવનમાં કમાયેલું ધન પક્ષીઓની સેવા માટે સમર્પિત કરી દીધું. ભગવાનજી ભાઇને વિચાર આવ્યો કે બદલાતી ઋતુમાં માનવી તો આશરો શોધી લે છે પણ પક્ષીઓ ક્યાં જાય? આ વિચારે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યુ અને ભગવાનજી ભાઇ નાની સાંકળ ગામે તૈયાર કર્યું લાખોના ખર્ચે આ અનોખું પક્ષીઘર.

અંદાજે 20 લાખ કરતા વધુના ખર્ચે તૈયાર કરાયેલું આ અનોખુ પક્ષીઘર અહીં આવનાર તમામ માટે અચરજ પમાડે તેવું છે. અંદાજે 2 હજાર કરતા વધુ માટલાઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલું આ અનોખુ પક્ષીઘર કોઇપણ ઋતુમાં પક્ષીઓનું રક્ષણ કરે છે. ત્યાં સુધી કે આકાશી વીજળી પડે તો પણ પક્ષીઓને કોઇ નુકસાન ન થાય તે રીતે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાનજીભાઇનું કહેવું છે કે જો દરેક માનવી તેની યથાશક્તિ મુજબ મુંગા પશુ પક્ષીઓની સેવા કરે તો આ ધરતી પર જ સ્વર્ગ છે અને આ વાત સાર્થક કરી બતાવી છે ભગવાનજી ભાઇએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો