કેન્દ્ર સરકાર કહે છે 18+ના લોકોને વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન જરૂરી નહીં, જયંતિ રવિ કહે છે ગુજરાતમાં રજીસ્ટ્રેશન વગર રસી નહીં મળે

કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વયગ્રુપના લોકોને વેક્સિન માટે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે, પરંતુ ગુજરાતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરાવવું પડશે. રાજ્ય સરકાર તરફથી હજુ કોઈપણ ફેરફાર કરવામાં આવ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુજરાતમાં હજુ જૂની પ્રક્રિયા જ યથાવત્ રહેશે: ડૉ.જયંતી રવિ

આ વિશે આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત્ છે. સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ યથાવત રાખેલી છે.

દરરોજ એક લાખ લોકોનું રસીકરણ થશે

રાજ્યમાં અત્યારે 10 શહેરમાં 18થી 44 વયજૂથના લોકોનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ કોરોના વોરિયર્સ અને 45થી વધુ વયના લોકોનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. હવે 18થી44 વયજૂથના લોકોને રસીના ડોઝ દરરોજ 30 હજાર આપવામાં આવતા હતા. આ વયજૂથમાં યુવાનોની સંખ્યા હોવાથી રાજ્ય સરકારે 18થી 44 વયજૂથના લોકોના રસીકરણને વ્યાપક બનાવવા એક સપ્તાહ સુધી દરરોજ એક લાખ લોકોનું રસીકરણ કરવાનું નક્કી કર્યુ છે. આ માટેનું સુચારું આયોજન થઇ ગયું હોવાનું આરોગ્ય અગ્રસચિવ ર્ડા. જયંતી રવિએ જણાવ્યું હતું. આરોગ્ય અગ્ર સચિવે કહ્યું હતું કે ગુજરાત દેશભરમાં પર મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર રહ્યું છે. હવે 18થી 44 વયજૂથમાં પણ દેશમાં અગ્રેસર રહેવા માટેની પ્રતિબદ્ધતા જયંતી રવિએ વ્યકત કરી હતી.

રાજ્ય પાસે 10 લાખ ડોઝ, 45+ને બીજો ડોઝ મળશે

રાજ્ય સરકાર પાસે આશરે 10 લાખ ડોઝનો સ્ટોક છે. સિનિયર સિટિઝન કે 45 અને એનાથી વધુ વય ધરાવતા મોટા ભાગના નાગરિકોના પ્રથમ ડોઝનું રસીકરણ પૂરું થઇ ગયું છે તેવા નાગરિકોને બીજો ડોઝ આપવાની કામગીરી યથાવત રહેશે તેમ સૂત્રોનું કહેવું છે.

એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને વેક્સિન મળશે

મુખ્યમંત્રી રૂપાણીના યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાના રોજ થતા રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે. આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાને કોરોના રસીકરણનો લાભ મળતાં કોરોના સામે વધુ ને વધુ યુવાઓને રક્ષણ મળશે.

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે એ માટેનું આયોજન કર્યું છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાત દેશભરમાં પર મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર રહ્યું છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ હવે 18થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો