પાલનપુરના ખોડલા ગામનો જવાન પ.બંગાળમાં શહીદ, અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા(ચૌધરી) પશ્ચિમ બંગાળમાં શહીદ થયા છે. તેમના વતનમાં માનભેર ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાયા હતા. દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓનર આપ્યું હતું. શહીદને વિદાય આપવા આખું ગામ રસ્તા પર આવ્યું હતું. શહીદના પરિવારજનોએ ચોધાર આંસુએ વિદાય આપી હતી.

ફ્લાઈટમાં અમદાવાદ પાર્થિવ દેહ લવાયો

સરદારભાઈના પાર્થિવ દેહને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સવારે સાત વાગ્યે અમદાવાદથી તેમના નશ્વર દેહને બાય રોડ ખોડલા ગામ લઈ જવાયો હતો. તિરંગામાં સરદારભાઈના પાર્થિવ દેહ લાવતા ગામમાં ગમગીની છવાઈ હતી. શહીદને અંતિમ વિદાય આપવા માટે સ્કૂલના બાળકો, ગામની મહિલાઓ, પુરૂષો વડિલો સહિતનાએ ભારત માતા કી જય અને શહીદ વીર જવાન સરદારભાઈ ચૌધરી અમર રહોના નારા લગાવ્યા હતા. તેમજ સલામી આપી હતી.

પાલનપુરથી શહીદ જવાનની ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં લોકો દેશભક્તિના ગીતો અને ત્રિરંગા સાથે શહીદ જવાનને સલામી આપતાં જોવા મળ્યા હતા. દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેઓનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો