જામનગરની સગીરાનું અપહરણ કરી ત્રણ લોકોએ પીંખી નાખી, સગીરાએ આપવીતી વર્ણવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

જામનગરમાં (Jamnagar) ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ કરીને 70 વર્ષના બુઢા સહિતના 3 શખ્સોએ દુષ્કર્મ આચરીને તરછોડી દેતાં શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે (Jamnagar Police) ત્રણેય નરાધમોની અટક કરી છે અને સગીરાને તબીબી પરિક્ષણ માટે મોકલી દીધી છે. આ ઘટનાથી ત્રણેય શખ્સો સામે ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.

જામનગર શહેરમાં રહેતી અને ધો. 11માં ભણતી વિદ્યાર્થિની ગત. 16ના રોજ ઘરેથી નીકળી હતી. જે બાદ સગીરાનું ચિરાગ નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો અને તેને સાધના કોલોનીના એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ધવલ નામનો શખ્સ તેને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બંને શખ્સોના દુષ્કર્મ બાદ સગીરા સાધના કોલોનીમાં આવેલાં સંગમબાગમાં પહોંચી ગઈ હતી. ત્યાં હવસખોર 70 વર્ષના બુઢા પ્રવિણ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું.

3-3 શખ્સોનો ભોગ બન્યા બાદ સગીરા તેના ઘરે પહોંચતા માતા-પિતાએ ધરપત આપી હતી. તેને પુછતા સગીરાએ તેની આપવીતી વર્ણવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાને લઈ માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ધવલ જગદીશભાઈ ભાવનાની (ઉં-22), ચિરાગ કમલેશભાઈ વાલ્મિકી (ઉં-18) અને પ્રવિણ શાંતિલાલ ધોળકીયા (ઉં.-70) નામના નરાધમો સામે અપહરણ, દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અને ત્રણેયની અટકાયત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો