સરકારનો મોટો નિર્ણય: હવે સામાન્ય નાગરીક પણ 3 વર્ષ માટે ભારતીય સેનામાં સામેલ થઈ શકશે

પૂર્વની પરિસ્થિતિમાં એક પ્રમુખ ફેરફાર કરતા ભારતીય સેના(Indian Army) ત્રણ વર્ષ માટે ‘ટૂર ઓફ ડ્યૂટી’ માટે સામાન્ય નાગરીકોને પોતાની સંસ્થામાં સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

ભારતીય સેનાના સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે, એક પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે, જે હેઠળ સામાન્ય નાગરીકોને રાષ્ટ્રની સેવા કરવા માટે ત્રણ વર્ષની ટૂર ડ્યુટીની મંજૂરી આપવામાં આવશે. પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા સેનાના પ્રવક્તાએ આની પુષ્ટી કરી છે. આ પ્રસ્તાવ દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિભાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભારતીય સેનાના પ્રયાસનો ભાગ છે. વર્તમાનમાં, જે સૌથી નાનો કાર્યકાળ છે, તે શોર્ટ સર્વિસ કમીશન હેઠળ 10 વર્ષનો છે.

પસંદગી બાદ પૂર્ણ કરવી પડશે જરૂરી ટ્રેનિંગ

સેનાના સૂત્રોએ જણાવ્યું કે આ પ્રસ્તાવમાં તે યુવાઓને સેનામાં સામેલ કરવાની તૈયારી કરવામાં આવી છે જેમને સેના આકર્ષિત તો કરે છે પરંતુ તે લાંબા સયમ સુધી તેમાં રહેવા ઇચ્છતા નથી. પ્રસ્તાવ અનુસાર યુવાઓને તે તમામ પ્રક્રિયાઓથી પસાર થવું પડશે ત્યારબાદ સેનામાં અધિકારી બની શકે છે. પસંદગી થયા બાદ તેમણે જરૂરી ટ્રેનિંગ પૂર્ણ કરવી પડશે.

ત્યારબાદ તેમને કોમ્બેટ ઝોનમાં તૈનાત કરવામાં આવશે. તેમને આર્મર્ડ, આર્ટિલરી, ઇન્ફેન્ટ્રી જેવી કોમ્બેટ સર્વીસમાં પણ જવાની તક મળશે. ત્રણ વર્ષ બાદ સેના છોડવા પર તેમને પેન્શન તો નહીં મળે પરંતુ અન્ય બીજા લાભ મળશે જેમાં ભવિષ્યના કરિયર માટે પ્રશંસાપત્ર પણ સામેલ હશે. તેમાં પુરૂષ અને મહિલા બંનેને તક મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો


લઘુ સેવા આયોગને પાંચ વર્ષ ન્યૂનત્તમથી વધારી 10 વર્ષ કરવામાં આવી હતી

સૂત્રોએ કહ્યું કે, યુવાનો માટે આને વધુ આકર્ષિત બનાવવા માટે સેનાના શિર્ષ અધિકારીઓ દ્વારા લઘુ સેવા આયોગની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.

ભારતીય સેના છેલ્લા કેટલાક વર્ષથી અધિકારીઓની અછતનો સામનો કરી રહી છે, અને ટુંક સમયમાં તે દૂર કરવા માંગે છે. લઘુ સેવા આયોગને પહેલા પાંચ વર્ષની ન્યૂનત્તમ સેવા સાથે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ પછી ને વધુ આકર્ષિત બનાવવા માટે તેને 10 વર્ષ સુધી વધારી દેવામાં આવ્યું હતું.

અર્ધસૈનિક દળોની કેન્ટીનમાં મળશે હવે માત્ર લોકલ સામાન

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વદેશી સામાન પર જોર આપવાની અપીલ બાદ ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા તમામ કેન્દ્રીય સશસ્ત્ર દળની કેન્ટીનો અને સ્ટોરો પર હવે સ્વદેશી ઉત્પાદન વસ્તુનું જ વેચાણ કરવાનો આદેશ કર્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 10 લાખ જવાનોના પરિવારના 50 લાક સભ્યો આ કેન્ટીનનો ઉપયોગ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો