અમદાવાદમાં હર હર મહાદેવ ગ્રુપ દ્વારા માત્ર 5 રૂપિયામાં ભર પેટ જમવાનું, સહાયરૂપ દાનથી ગરીબો ખુશ

માનવસંસ્કૃતિનો સૌથી સુગંધિત શબ્દ છે દાન, શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે, અન્ન દાન (Food Donation)એ સૌથી મોટુ દાન છે. ત્યારે વાડજ (Wadaj) વિસ્તાર ખાતે હર હર મહાદેવ ગ્રુપ દ્વારા નજીવી કિંમતમાં દાળ-ભાત આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેઓ ગરીબ અને ભૂખ્યા લોકોનો પેટનો ખાડો માત્ર પાંચ રૂપિયામાં ભરી રહ્યા છે. આ સરાહનિય કાર્યથી વાડજ વિસ્તારના ગરીબ અને નિ:સહાય લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

કોરોના (CoronaVirus)ના કારણે લોકડાઉન (Lock Down) પછી ગરીબ લોકોની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ છે, ત્યારે તેવા સમયમાં જરૂરિયાતમંદોને ભોજન પુરુ પડે તેના માટે ફક્ત 5 રૂપિયામાં દાળ ભાત ભર પેટે આપવા માટેની સેવા હર હર મહાદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. જેમાં આવતા ફંડ દ્વારા પ્રેમલભાઈ ત્રિવેદી દ્વારા આ સેવા કરવામાં આવે છે. જેનો સમય સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી ભર પેટ લોકો દાળભાત જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અન્નક્ષેત્રનો લાભ લેવા મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો આજે અહિં આવ્યા હતા. જેમણે કહ્યુ કે આ સમયે 5 રૂપિયામાં કશું જ ન મળે, આ ખુબ જ સારુ છે પેટ ભરીને જમી શકાય છે.

ભુખ્યાને ભોજન આપવુ તે મોટુ પુણ્ય છે જે હર હર મહાદેવ ગ્રુપના લોકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. કોરોના મહામારી અને લોકડાઉનની થપાટ બાદ જ્યારે લોકોના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે, ત્યારે આ પ્રકારનું કાર્ય અન્ય લોકોને પણ મદદ કરવાની પ્રેરણા આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો