હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો

તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશ સળગાવી દેવાની ઘટનાએ દેશને હલાવી દીધું છે. દેશના દરેક હિસ્સામાં લોકો આરોપીઓને તાત્કાલીક જાહેરમાં સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ચારેય આરોપીઓના પરિવારના સભ્યોએ કહ્યું છે કે જો તેઓએ આવો ક્રૂર અપરાધ કર્યો છે તો પછી તેમને તાત્કાલીક ફાંસી આપી દેવી જોઈએ કે પછી તેને જીવતા સળગાવી દેવા જોઈએ.

ઘટનાના એક આરોપી સી. ચેન્નાકેશાવુલુની માતા શ્યામલાએ અંગ્રેજી અખબાર ‘ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેને પણ ફાંસી આપી દેવી જોઈએ કે આગના હવાલે કરી દેવો જોઈએ, જેવી રીતે તેણે મહિલા ડૉક્ટરની સાથે દુષ્કર્મ બાદ કર્યું. આરોપીની માતાએ એમ પણ કહ્યું કે, તે પરિવારના દર્દને સમજી શકે છે. તેઓએ કહ્યું કે, મારી પણ એક દીકરી છે અને હું તે પરિવારનું દુ:ખ સમજી શકું છું કે તે પરિવાર હાલ કેવી સ્થિતિમાં હશે. જો હું મારા દીકરાનો બચાવ કરીશ તો જીવનભર લોકો મારી ઘૃણા કરશે.

5 મહિના પહેલા લગ્ન થયા હતા

શ્યામલાએ જણાવ્યું કે, ગુરુવાર સવારે જ્યારે પોલીસ તેના દીકરાની પૂછપરછ કરવા માટે લઈ ગયા તો તેના પરિત પરેશાન થઈને ઘરની બહાર ચાલ્યા ગયા હતા. આરોપીની માતાએ એમ પણ જણાવ્યું કે, ચેન્નાકેશાવુલુના લગ્ન 5 મહિના પહેલા જ થયા હતા. તેઓએ કહ્યું કે, તેની પસંદની યુવતી સાથે તેના લગ્ન કરાવ્યા. મારા દીકરાને કિડનીની બીમારી છે. જેથી અમે ક્યારેય તેની પર દબાણ નહોતું કર્યું. દરેક 6 મહિના બાદ અમે લોકો તેને હૉસ્પિટલ લઈને જતાં હતા.

14 દિવસના રિમાન્ડ

આ દરમિયાન કોર્ટે ચારેય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસને આરોપીઓને કોર્ટ લઈ જવામાં મુશ્કેલી થઈ રહી હતી. આ કારણે આરોપીઓને પોલીસ સ્ટેશનથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો