પતિ પત્ની વચ્ચેનો અતૂટ પ્રેમ: ‘લતા હું તને નહીં ભૂલી શકુ..!’ પત્નીના મોત બાદ પતિએ સ્મશાનમાં જ કરી આત્મહત્યા, બે માસ પહેલા થયા હતા લગ્ન

પતિ પત્ની વચ્ચેના અતૂટ પ્રેમની કહાની છત્તીસગઢના (Chhattisgarh news) બાલોદમાં સામે આવી છે. પતિ પત્ની વચ્ચેને પ્રેમ કેવો (husband-wife love story) હોય એ આ કિસ્સા ઉપરથી જાણી શકાય છે. અહીં પત્નીના મોતાના આઘાતમાં પતિએ પણ રડી રડીને આત્મહત્યા કરી (husband suicied afther wife death) લીધી હતી. જોકે નવાઈની વાત એ છે કે જે જગ્યાએ પત્નીના અંતિમ સંસ્કાર (wife funeral place) કરવામાં આવ્યા હતા. એજ જગ્યાએ પતિએ ઝાડ સાથે ફાંસો ખાઈના આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ કર્મી પતિની આત્મહત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ હૃદયદ્વાવક ઘટના અંગે વાત કરીએ તો બાલોદ પોલીસના ટોકાપાર નિવાસી મનીષ નેતામે ફાંસી લગાવેલી લટકતી લાશની સૂચના મળી હતી. જે બોરઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.

17 દિવસ પહેલા ટાઈલ્સ ઉપર લપસતાં પત્ની હેમતલતા મોતને ભેટી હતી. 2 મહિના પહેલા લગ્નના તાંતણે બંધાયેલા બંને પતિ-પત્ની એક-બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પત્નીના મોત બાદ આરક્ષક મનીષ ગમગીન રહેતો હતો.

ગ્રામીણોની માનીએ તો પત્નીના અસમય મૃત્યુથી આઘાતમાં આવેલા આરક્ષક પતિ દરરોજ અંતિમ સંસ્કાર સ્થલ ઉપર જઈને પોતાની પત્નીને યાદ કરીને રડતો હતો. દરરોજની જેમ બુધવારે પણ મનીષ અંતિમ સંસ્કાર સ્થળ ઉપર પહોંચ્યો હતો અને રડવા લાગ્યો હતો. થોડા જ સમયમાં બાવળના ઝાડ સાથે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા પહેલા વોટ્સએપ ઉપર સુસાઈડ નોટ પોતાના ભાઈને મોકલી હતી. આત્મહત્યાની ખબર મળતાં જ હડકંપ મચી ગયો હતો.

લતા હું તને નથી ભૂલી શકતો…
સ્યૂસાઈડ નોટમાં મનિષ નેતામે લખ્યું કે, અમારા લગ્નને માત્ર બે મહિના જ થયા છે, હું લતાને ભૂલી નથી શકતો. કેટલી મહેનતથી આપણે લોકોએ ઘર બનાવ્યું હતું અને જલ્દી લગ્ન પણ કર્યા. બધુ જ ઠીક ચાલી રહ્યું હતુ, પરંતુ ખબર નહીં ભગવાનને કંઈક બીજુ જ મંજૂર હતુ. આથી હવે ઘરમાં રહેવાની ઈચ્છા જ નથી થતી.

વધુમાં લખ્યું છે કે, છોટૂ, પાપા અને દીદી લોકોને મને માફ કરવા કહી દેજે. જેઓએ પોતાની લાડલી લતાની જવાબદારી મને સોંપી, જે હું નિભાવી ના શક્યો. આ ફોન પણ લતાએ જ મને ગિફ્ટમાં આપ્યો હતો અને મારી ઈચ્છા છે કે, આ ફોન છોટૂ વાપરે. મને ખ્યાલ છે કે, તે ના પડશે, પરંતુ તેને કહેજો મેં કહ્યું છે, તે મારી વાત જરૂર માનશે.

મનીષ નેતાએ પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવે એ જ જગ્યાએ મનીષે આત્મહત્યા કરી લીધી હતી. 17 દિવસ પહેલા તેની પત્ની પંચતત્વમાં વીલિન થઈ હતી. આખા ગામે મનીષને ભીની આંખે વિદાય આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો