કોરોનાની મહામારીમાં તમે તમારા કર્મચારીઓ છુટા કરો છો, શું આ જ તમારી નૈતિકતા છે? માત્ર નફા માટે બિઝનેસ નથી થતોઃ રતન ટાટા

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કોવિડ-19 રોગચાળાને કારણે થતી છટણી અંગે ટાટા જૂથના માર્ગદર્શક રતન ટાટાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોરોના વાયરસના મુશ્કેલ સમયમાં લોકો પ્રત્યે કંપનીઓની જવાબદારી છે. તેમણે યોર સ્ટોરીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઉદ્યોગસાહસિકો અને કંપનીઓ માટે લાંબા સમય સુધી કામ કરવા અને સારું પ્રદર્શન કરવા માટે કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા સર્વોચ્ચ છે. રોગચાળાના સમયમાં તમે તમારા કર્મચારીઓ સાથે આ રીતે વર્તો છો, શું આ જ છે તમારી નૈતિકતા?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વાયરસ આવતા જ હજારો લોકોની નોકરી ગઈ

તેમણે કહ્યું, જ્યારે દેશમાં વાયરસના ફેલાવાની શરૂઆત જ થઇ હતી ત્યાં હજારો લોકોને નોકરીમાંથી કાઢી મુકાયા હતા. શું આનાથી તમારી સમસ્યા ઉકેલાઈ શકે છે? મને નથી લાગતું કે તે થઈ શકે છે કારણ કે તમને બિઝનેસમાં નુકસાન થયું છે, આવી સ્થિતિમાં લોકોને નોકરીથી દૂર કરવાનું યોગ્ય નથી. ઉલટું તે લોકો તરફ તમારી જવાબદારી બને છે.

આપણે એમ કહીને પોતાને અલગ કરી શકો નહીં કે અમે અમારા શેરહોલ્ડરો માટે આ કરી રહ્યા છીએ. તમે સંવેદનશીલ નહીં બનો ત્યાં સુધી તમે આ વાતાવરણમાં ટકી શકશો નહીં, તેથી સૌથી પહેલા લોકોએ પોતાના કાર્યસ્થળ વિશે ચિંતા કરાવી જોઈએ.

રોગચાળો તમને દરેક જગ્યાએ અસર કરશે

રતન ટાટાએ કહ્યું કે, તમારી પાસે છુપાવવા અથવા છટકી જવા માટે કોઈ જગ્યા નથી, તમે જ્યાં પણ જાઓ ત્યાં કોવિડ-19 રોગચાળો તમને અસર કરે છે. પરિસ્થિતિને સ્વીકારવી વધુ સારું છે. તમારા કારણો ગમે તે હોય, તમારે એ દરેક બાબતમાં બદલાવ કરવો પડશે જે યોગ્ય અથવા સારા છે અને અસ્તિત્વ ટકાવવા જરૂરી છે.

કોરોના વાયરસ રોગચાળાએ ઘણા ક્ષેત્રોમાં બિઝનેસને અસર પહોંચાડી છે, તેમાંના ઘણાએ બિઝનેસ ટકાવી રાખવા માટે છટણી કરી છે અને પગારમાં કાપ મુક્યો છે. ઓલા, ઓયો, સ્વિગી અને ઝોમાટો જેવા ઘણા યુનિકોર્ને (રૂ. 7.4 હજાર કરોડની વેલ્યુએશનના સ્ટાર્ટઅપ્સ) રોગચાળો ફાટી નીકળવાના કારણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી તેમના કર્મચારીઓની સાથે સાથે વ્યવસાયને પણ ઘટાડવો પડ્યો હતો.

મિલ મજુરોએ તમારા માટે કામ કર્યું, તેને છોડી દીધા

રતન ટાટાએ રોગચાળાને પગલે સ્થળાંતર કરનારા અને રોજમદાર મજૂરોની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે, આવકનું કોઈ સાધન ન હોવાને કારણે લોકડાઉન દરમિયાન તીવ્ર ગરમીમાં તેઓ કોઈપણ જાહેર પરિવહન વિના તેઓ ઘરે પરત ફર્યા હતા.

તેમણે કહ્યું, દેશની સૌથી મોટી શ્રમ શક્તિને કહેવામાં આવ્યું કે તમારા માટે કોઈ કામ નથી અને તમને ઘરે મોકલવાનો કોઈ રસ્તો નથી. તેમની પાસે ખાવા માટે ખોરાક નથી, રહેવાની કોઈ જગ્યા નથી. આ માટે કોઈને દોષ આપતો નથી, પરંતુ આ પરંપરાગત અભિગમ હતો, હવે તે દ્રશ્ય બદલાઈ ગયું છે. આમ કરનારા તમે કોણ છો?

આ એ લોકો છે જેમણે તમારા માટે કામ કર્યું છે, જેમણે પોતાની આખી કારકિર્દી દરમિયાન તમારી સેવા કરી છે એટલે તમે તેઓને વરસાદમાં રહેવા માટે મુકી દો છો. તમે તમારી લેબર ફોર્સ સાથે આવું વર્તન કરો છો, શું આજ છે તમારી નૈતિકતા?

આવી સ્થિતિ ફરી આવે તો લોકો વધુ સારી રીતે સમજી શકશે

તેમણે કહ્યું, મને આશા છે કે આપણે ફરીથી આ પ્રકારની પરિસ્થિતિ જોશું નહીં, પરંતુ જો આપણે ફરીથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડશે, તો મને લાગે છે કે લોકો શું કરી શકે તે વિશે તેમને સારી સમજ હશે. કંપનીઓ લોકોને નોકરીમાંથી કાઢીને બહુ ઉતાવળમાં પ્રતિક્રિયા આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો