મગની દાળના પાણીનું કરો સેવન, રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે ડેન્ગ્યુ જેવા રોગો સામે આપશે રક્ષણ

ગુણોથી ભરપૂર એવી મગની દાળ દરેક લોકોને સારી લાગે છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દાળના સેવનથી શરીરને જરૂરી પોષક તત્વોનો અભાવ દૂર કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો સામે પણ રક્ષણ આપે છે. આજે, મગની દાળનું પાણી બનાવવાની રીત જણાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામગ્રી

  • જરૂરિયાત પ્રમાણે – મગની દાળ
  • જરૂરીયાત પ્રમાણે – પાણી
  • સ્વાદાનુસાર- મીઠું
  • 1/2 ચમચી – હળદર

બનાવવાની રીત

સૌ પ્રથમ મગની દાળનું પાણી બનાવવા માટે પ્રેશર કૂકરમાં બે કપ પાણી ગરમ કરો. પાણી ગરમ થાય એટલે સ્વાદ મુજબ મગ દાળ, હળદર અને મીઠું નાખો અને લગભગ 2 થી 3 સીટી આવે ત્યાં સુધી સીજવા દો. આ પછી દાળને સારી રીતે મેશ કરી લો. હવે તૈયાર છે મગની દાળનું પાણી…

ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થનારી બીમારી એ ખતરનાક રોગ છે.. આજકાલ આ બીમારી ઘણા લોકોમાં જોવા મળી રહી છે. એવામાં તમે મગની દાળના પાણીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ દાળના પાણીથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જેથી તમે ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીથી બચી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો