ઠંડીમાં વધતા કોરોના વચ્ચે પીઓ આ એક ઉકાળો, શરદી-ઉધરસ-તાવથી મળશે રાહત, જાણો બનાવવાની સરળ રીત

ઋતુ બદલાવવાના કારણે ઘણી વખતે તાવ, શરદી, ઉધરસ (Cold – Cought) જેવી સમસ્યા થતી હોય છે જ્યારે હવે શિયાળો શરૂ થતા કોરોનાની (Corona virus)બીજી લહેર શરૂ થઇ ગઇ છે. તો આજે અમે તમારા માટે એક ઉકાળાની (Ukalo)રેસીપી લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યા દૂર કરી શકો છો. આ ઉકાળાથી તમારી પાચન શક્તિમાં સુધારો કરવાની સાથે વાયુ તેમજ પાચન ન થતું હોવા જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે. તે સિવાય રોગ પ્રતિકારક શક્તિમાં (Immunity) પણ વધારો કરે છે.

સામગ્રી

  • ૧ ટૂકડો – આદુ
  • ૨ ચમચી – ફુદીનો
  • ૮-૧૦ નંગ – તુલસીના પાન
  • જરૂરિયાત મુજબ – દૂધ
  • જરૂરિયાત મુજબ – ગોળ
  • જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક ગ્લાસ પાણી અને એક ગ્લાસ દૂધ લેવું. તેમા એક ચમચી વાટેલા ફુદીનાનાં પાનની પેસ્ટ અને અડધી ચમચી છીણેલું આદું ઉમેરીને પાણીને ઉકાળવું. પાણી ઊકળીને લગભગ અડધું થઈ જાય એટલે ગાળી લેવું. જો દૂધ ન લેવું હોય તો એકલા પાણીનું પીણું પણ બનાવી શકાય. પાણીવાળા પીણામાં ગળપણ જોઈતું હોય તો એમાં ચપટીક ગોળ ઉમેરી શકાય. દૂધનો ઉકાળો હોય તો એમાં ખડી સાકર વાપરવી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો