હોમ્પોપેથિક દવા અર્સોનિક અલ્બમ-30 કોરોના વાયરસના ઈન્ફેક્શનને ફેલાતુ અટકાવશે, આયુષ મંત્રાલયે બચાવ માટેની એડવાઈઝરી બહાર પાડી

કેરળમાં રવિવારે કોરોનાવાયરસનો બીજો કેસ પ્રકાશમાં આવ્યા બાદ આયુષ મંત્રાલયે તેનાથી બચાવ માટેની એક એડવાઈઝરી બહાર પાડી છે. તેમાં સમયે સારવાર કરવામાં આવે તો ગંભીર પરિણામોથી બચી શકાય છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન હોમ્યોપેથીના વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડે કોરોનાના ઈન્ફેકશનને ફેલાતુ રોકવા માટે હોમ્યોપેથીની આર્સોનિક અલ્બમ-30ને 3 દિવસ સુધી ખાલી પેટે લેવાની વાત કહી છે.

ઈન્ફેક્શન યથાવત રહેવા પર એક મહિના બાદ દવાના ડોઝને બીજી વખત લઈ શકાય છે. ઈન્ફ્લૂએન્ઝા જેવા રોગને અટકાવવા માટે પણ આ દવા લઈ શકાય છે. આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ, તુલસી, કાળા મરી જેવી આયુર્વેદિક ઔષધીઓ લોકોને બચાવી શકે છે. એડવાઈઝરીમાં સામાન્ય લોકોને સ્વચ્છ રહેવા માટે સલાહ આપવામાં આવી છે. આ સિવાય ડોક્ટરોએ કોરોના વાયરસથી બચવા માટે સુપાચ્ય, હળવો અને નરમ આહાર આપવાની સલાહ આપી છે.

આ ઉપાય કરવાની સલાહ આપી

આયુર્વેદિકઃ પિપળી, કાળા મરી અને સુઠનો 5 ગ્રામ પાઉડર અને તુલસીના 3થી 5 પત્તાઓને 1 લીટર પાણીમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી પાણી અડધું લિટર ન થઈ જાય. બાદમાં પાણીને એક બોટલમાં ભરીને રાખો અને ધીરે-ધીરે પીવો. શેષમણી વટી 500 મિલીગ્રામ રોજ દિવસમાં 2 વખત લેવી જોઈએ. જોકે આ દવા ડોક્ટરને પૂછ્યા બાદ જ લેવી જોઈએ. સવારના સમયે બે ટીપા તલના તેલને નાકમાં નાખવું જોઈએ.

હોમ્યોપેથીઃ આર્સેનિક અલ્બમ-30 હોમ્યોપેથી દવાથી કોરોનાવાયરસના ઈન્ફેક્શનથી બચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો