અમદાવાદમાં હોમગાર્ડનો ગંભીર આક્ષેપ, ઉપરી અધિકારીને પૈસા ન આપતા નોકરીમાંથી કાઢી મૂક્યો

રાજ્યમાં પોલીસકર્મીઓએ વ્યક્તિ પાસેથી કોઈ કેસને દબાવવા અથવા તો વ્યક્તિના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી લાંચની માગણી કરી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં એક હોમગાર્ડના જવાને એક અધિકારી પર પૈસા માગવાનો આક્ષેપ કર્યો છે. હોમગાર્ડ જવાનનું કહેવું છે કે, તેને બે મહિનાથી અધિકારીના પૈસા ન આપતા અધિકારીએ તેને નોકરી આપવાની ના પાડી દીધી હતી અને હવે આ પરિસ્થિતિમાં તેમને નાછૂટકે આત્મવિલોપન કરવું પડશે અને આત્મવિલોપન કર માટે જવાબદાર પૈસા માગનાર અધિકારી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર IPS બંગલામાં ગૌતમ શ્રીમાળી હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવે છે. ગૌતમ શ્રીમાળી નામના હોમગાર્ડ જવાને એક અધિકારી પર આક્ષેપ કર્યા છે કે, તેમણે અધિકારીને બે મહિનાથી પૈસા આપ્યા ન હોવાથી અધિકારીએ તેમને નોકરીમાં આવવાની ના પાડી હતી. ગૌતમ શ્રીમાળી નામના હોમગાર્ડ જવાનને ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતાં સાંતેજા નામના અધિકારી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, હું IPS બંગલામાં નોકરી કરું છું. 25થી 26 દિવસની મારી નોકરી હોય છે. મારો કોઈ વાંક નથી અને બીજું કે મેં તેમને પૈસા આપ્યા નથી એટલે મને નોકરી પર આવવાની ના પાડી દીધી છે. હું તેમને મળવા ગયો હતો અને તેમણે મને કહ્યું કે ગૌતમ ભાઈ મારે જિલ્લા કમાન્ડર સાહેબને પણ પૈસા આપવાના હોય છે. તમારે જે કરવું હોય એ કરો મારું કશું કોઈ નહીં બગાડી શકે હું ઉપર પૈસા આપું છું.

હોમગાર્ડ જવાને વીડિયોમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, હું ખેડા જિલ્લામાંથી 90 કિલોમીટર કાપીને નોકરી પર આવું છું મારા ઘરે કમાવવા વાળુ કોઈ નથી. મારા ઘરે ત્રણ દીકરીઓ છે અને હું હોમગાર્ડ તરીકે નોકરી કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મને નોકરી પર આવવાનું નથી એમ સાંતેજા સાહેબે કીધું છે. ઉચ્ચ અધિકારીઓ પણ જાણે છે કે સાંતેજા બળવાન અધિકારી છે. અમને પણ ખબર છે કે શ્રીમાળી મારું કશું બગાડી શકશે નહીં એટલે મને પણ ધમકી આપે છે કહું છું કે, તું કેવો નોકરી કરે છે. એટલે નાછૂટકે મારે આત્મવિલોપન કે પછી કંઈ કરવું પડશે. આ વ્યક્તિ ખૂબ જ પહોંચેલો છે અને મને નોકરી નહીં કરવા દે. હું આ એટલા માટે જાહેર કરું છું કે મારા પરિવારને કંઈક થાય એના માટે સાંતેજા સાહેબ જવાબદાર છે.

આ સમગ્ર મામલે જિલ્લા હોમ ગાર્ડ અધિકારી જબ્બાર શેખાવતે જણાવ્યું હતું કે, હોમગાર્ડ જવાનનો આક્ષેપ છે તદ્દન ખોટો છે. લોકડાઉનમાં અનેક ફરિયાદ મળતા ઉપરી અધિકારીઓના આદેશાનુસાર જવાનોની બદલી કરવામાં આવી છે. આ જવાન બે વર્ષથી એક જ જગ્યા પર હતો. એટલે આ જવાનની બીજા ડિવિઝનમાં બદલી કરવામાં આવતા તે આવા આક્ષેપ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો