ફેફસાના રોગોની બેસ્ટ દવા છે સલગમ, સાથે જ કેન્સર, હાર્ટ અને પેટના રોગો હમેશાં રાખશે દૂર, જાણો તેના ફાયદા

સલગમ (ગાજર જેવું એક કંદ) એક એવું શાક છે જેમાં ભરપૂર વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન અને મિનરલ્સ હોય છે. આયુર્વેદ મુજબ સલગમ ખાવાથી શરીરને જરૂરી બધાં જ પોષક તત્વો મળી જાય છે. સલગમ તરત એનર્જી આપવાની સાથે ઈમ્યૂનિટીને પણ વધારે છે. જો તમે રાતે સલગમ ખાઓ તો તે હાનિકારક ફ્રી રેડિકલ્સ સામે શરીરનું રક્ષણ કરે છે. ફેફસાને સ્વસ્થ રાખવા માટે પણ સલગમ બેસ્ટ છે. તે શરીરમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરે છે. તેના સેવનથી ફેફસામાં રહેલાં ટોક્સિન્સ દૂર થવાની સાથે ફેફસામાં આવેલો સોજો અને ફેફસામાં જમા કફ પણ દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફેફસાની બેસ્ટ દવા છે સલગમ

ફેફસા માટે સલગમ બહુ જ ફાયદાકારક છે. તેને રેગ્યુલર ખાવાથી ફેફસામાં જામેલો કફ પણ દૂર થઈ જાય છે. માત્ર સલગમ જ નહીં તેની જડ પણ બહુ જ ફાયદાકારક છે. તેમાં અનેક ગણાં મિનરલ અને વિટામિન હોય છે. આ વિટામિન એ, સી, કેરોટીનોઈડ અને લ્યૂટીન જેવા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ સિવાય તેના પાનમાં વિટામિન કે સારી માત્રામાં હોય છે. સાથે જ કેલ્શિયમ, કોપર, આયર્ન જેવા મિનરલ પણ હોય છે. સિગરેટના ધૂમાડામાં રહેલું કાર્સિનોજેન્સ શરીરમાં વિટામિન એની કમીને કારણે નુકસાન પહોંચાડે છે. જેના કારણે ફેફસામાં સોજો આવવાની સાથે અન્ય ફેફસાની સમસ્યાઓ થઈ શકે છે. સલગમમાં રહેલું વિટામિન એ આ કમીને દૂર કરે છે અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સલગમના લાભ

સલગમમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચનને સુધીરે છે. સાથે જ તેમાં રહેલાં તત્વો પાચનતંત્રને મજબૂત બનાવે છે.

સલગમમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈટોકેમિકલ્સ હોય છે. જે કેન્સરના ખતરાને દૂર કરે છે. ગ્લૂકોસાઈનોલેટ્સ હોવાથી તે કેન્સરના સેલ્સને વધતાં રોકે છે. દૈનિક આહારમાં તેને સામેલ કરવાથી ટ્યૂમરનો ખતરો પણ દૂર રહે છે.

સલગમમાં રહેલું વિટામિન એ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હાર્ટ એટકે, હાર્ટ સ્ટ્રોક અને અન્ય હાર્ટ ડિસીઝને રોકવામાં મદદ કરે છે. સલગમ ફોલેટનો બેસ્ટ સોર્સ છે. જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

સલગમ કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સોર્સ હોવાને કારણે તે હાડકાઓના વિકાસમાં મદદ કરે છે. સાથે સલગમ નિયમિત ખાવાથી હાડકાઓ તૂટવા, ઓસ્ટિયોપોરોસિસનો ખતરો દૂર થાય છે.

સલગમમાં રહેલાં ગુણો ભૂખ ઓછી લાગવી, હરસ જેવી તકલીફો પણ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાયબર મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. જેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને પેટ સંબંધી સમસ્યા પણ દૂર થાય છે.

સલગમમાં રહેલું વિટામિન સી એક બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ ધરાવે છે. જેના કારણે તે અસ્થમાના દર્દીઓ માટે પણ બેસ્ટ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો