હનુમાનજીએ સપનામાં આવી લઈ જવાનો આદેશ આપતા 64 ટનની મૂર્તિ લઈને પ્રયાગરાજ પહોંચ્યા મહંત

રાજસ્થાનના ભીલવાડાના સંકટ મોચન મંદિરના મહંત બાબુ ગિરી 64 ટન વજન ધરાવતી હનુમાનજીની પ્રતિમા લઈને ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા. રાજસ્થાનના ભીલવાડાથી તારીખ 9 ફેબ્રુઆરીના દિવસે શરૂ થયેલી યાત્રા 18 દિવસ બાદ પ્રયાગરાજના સંગમ પરિસરમાં ખતમ થઈ.

શુક્રવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર દરમિયાન ગંગાજળ, દૂધ અને દહીંથી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરી અને મહંત બાબુ ગિરીએ મૂર્તિનું પૂજન કર્યું.

ભીલવાડાના સંકટ મોચન મંદિરના મહંત બાબુ ગિરીએ જણાવ્યું કે હનુમાનજીએ સપનામાં આવીને તેમને પ્રયાગરાજ લઈ જવાનો આદેશ આપ્યો. ત્યારબાદ આ સ્નાન યાત્રાનો સંકલ્પ લેવામાં આવ્યો.

18 દિવસની યાત્રા બાદ આ 64 ટનની મૂર્તિ ગુરુવારે પ્રયાગરાજ પહોંચી. આ યાત્રા દરમિયાન તેમણે કુલ 2100 કિલોમીટરનું અંતર કાપ્યું.

પથ્થરની એક જ શિલામાંથી તૈયાર કરવામાં આવેલી હનુમાનજીની આ મૂર્તિ 28 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોળી છે. આ મૂર્તિને 60 ફૂટ લાંબા વાહન પર રાખતા 8 કલાકનો સમય લાગ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો