ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

રાજ્યમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. આમ કોરોનાના કહેરને રોકવા માટે રાજ્ય સરકારે ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ આ તમામ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં ચઢાવવામા આવશે. તેની સાથે સાથે રાજ્યની તમામ શાળાઓમા રજા જાહેર કરી છે.

ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. સરકારે આ નિર્ણય લીધો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.

નવુ સત્ર એપ્રિલ માસમાં

શિક્ષણ વિભાગના 4-2-2020ના ઠરાવની જોગવાઈ પ્રમાણે નવુ શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું રહેતું હતું તેના બદલે અગાઉ મુજબ વેકેશન પૂર્ણ થયા બાદ નવું સત્ર શરૂ કરવાનું રહેશે.

કામગીરી બજાવવા માટે સ્ટેન્ડ બાય તરીકે રહેવાનું રહેશે

જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવી ન હોય અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોય તો તે વિસ્તારના શિક્ષકોએ શાળાએ જવાની જરૂર નથી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવે તો તે કામગીરી બજાવવા માટે સ્ટેન્ડ બાય તરીકે રહેવાનું રહેશે.

જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવી હોય તો તે કામગીરી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ આવવા માંથી મુક્તિ આપવામાં આવે છે.

CM નિવાસસ્થાને બેઠક મળી હતી

મહત્વનું છે કે, કોરોના વાયરસના મુદ્દે CM નિવાસસ્થાને બેઠક મળી હતી. CM રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના મામલે ચર્ચા થઇ હતી. DyCM અને ગૃહમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ, આરોગ્ય અગ્રસચિવ હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો