ગુજરાતના નિઃસહાય-જરૂરિયાતમંદ લોકો માટે આ યુવાને શરૂ કર્યું કામ: મારો પૈસો કંઈક કામ આવે તો મારું જીવન ધન્ય થઈ જશે અને હું જન્મભૂમિનું ઋણ ચૂકવી શકીશ

હાલની કોરોના મહામારીના કટોકટીના સમયમાં માનવતા મરી પરવારી હોય તેવાં અનેક દ્રશ્યો આપે જોયા હશે. પણ આ મહામારીમાં પણ માનવતા જીવંત છે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે એક યુવાન ગરીબ અને જરૂરિયાતમંદોની વ્હારે આવ્યો છે.

કોરોના સંક્રમણ દરમિયાન સુરત શહેરના દાનવીરો દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે આઈસોલેશન સેન્ટર ઉભા કરાયા છે. ત્યારે બીજી તરફ મહામારીમાં ગરીબ અને મધ્યમવર્ગનાં રોજગાર છીનવાઈ ગયા હોવાથી ખાવાના સાંસા પડી રહ્યાં છે. ત્યારે સોરાષ્ટ્રવાસી યુવકે મહામારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને મદદરૂપ થવા માટે એક લાખ અનાજની કિટ વિતરણ કરવાનું શરૂ કર્યું છે.

દુબઇમાં કરેલી ઇવેન્ટનો સંપૂર્ણ નફો સમાજ સેવામાં ખર્ચ કરવાનું નક્કી કરનાર ધવલભાઈ રમેશભાઈ અકબરી પ્રથમવાર ગુજરાતમાં સમાજ સેવાના કાર્યમાં જોડાયા છે. મૂળ સૌરાષ્ટ્રવાસી છે અને હાલ મુંબઈમાં રહે છે. ધવલે કહ્યું કે- ભગવાને ઘણું આપ્યું છે. ઘણું કમાઈ લઉં છું. બસ આજે મારા ગુજરાતના નિઃસહાય અને જરૂરિયાતમંદ લોકોને મારી જરૂર છે. કોરોના કહેરના બીજા વેવમાં લોકો આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ તૂટી ગયા છે. એવા તમામ માટે મારો પૈસો કંઈક કામ આવે તો મારું જીવન ધન્ય થઈ જશે અને હું માતૃ અને જન્મભૂમિનું ઋણ ચૂકવી શકીશ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો