ભેસાણના ખંભાળિયા ગામે GRD જવાને 3 દીકરીને કૂવામાં ફેંકી પોતે ગળેફાંસો ખાધો, 15 દિવસ પહેલા ચોથી દીકરીનો જન્મ થયો હતો

ભેસાણના ખંભાળિયા ગામે જીઆરડી(ગ્રામ રક્ષક દળ) જવાન રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો. અહીં પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી હતી. આથી ડૂબી જવાથી ત્રણેય દીકરીના મોત નીપજ્યા હતા. બાદમાં પિતાએ ઝેરી દવા પીધી હતી, પરંતુ દવા પીધા પછી કોઇ અસર ન થતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે.

ઘટનાની જાણ થતાં જ ભેસાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. 15 દિવસ પહેલા જ ચોથી દીકીરીનો જન્મ થયો હતો. પરંતુ તે તેની માતા પાસે જીવિત છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને કારણે આવું પગલું ભર્યાનું બહાર આવ્યું છે. પરંતુ સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

પરબ ફરવાનું કહી ત્રણેય દીકરીઓને જીઆરડી જવાન વાડીએ લઇ ગયા

ખંભાળિયા ગામે રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવાનું કહી વાડીએ લઇ ગયા હતા. અહીં પોતાની ત્રણ દીકરી રીયા (ઉ.વ.9) ધો.4માં ભણતી હતી, અંજલી (ઉ.વ.7)ધો.2માં ભણતી હતી અને જલ્પા (ઉ.વ.2)ને આજે સવારે સાડા નવ વાગ્યે કૂવામાં ફેંકી દીધી હતી. બાદમાં પોતે દવા પી લીધી હતી પરંતુ દવાની કોઇ અસર ન થતા ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. એક જ પરિવારના ચારના મોતથી સોલંકી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

કૂવામાં નાંખતા પહેલા પિતાએ જામફળ અને સોડા પીવડાવી

રસીકભાઇ ભેસાણમાં નાઇટમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. પોતાની ત્રણેય દીકરીઓને કહ્યું કે ચાલો પરબ દર્શન કરવા જવું છે. અને ત્રણેય દીકરીઓને બાઇક પર બેસાડી લઇ જતા હતા. ત્યારે લાલજીભાઇ શામજીભાઇ ભુવાની વાડીએ બાઇક ઉભું રાખી ત્રણેય દીકરીઓને નીચે ઉતારી હતી. બાદમાં ત્રણેયને જામફળ ખવડાવ્યા હતા અને સોડા પીવડાવી હતી. બાદમાં પોતાના હાથે જ ત્રણેય દીકરીઓને કૂવામાં ફેંકી દીધી હતી અને પોતે દવા પી લીધી હતી પરંતુ અસર ન થતા ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.

ચોથી દીકરીના જન્મના સમાચાર મળતા જ ચિંતામાં ડૂબી ગયા

ગામના લોકોના કહેવા મુજબ રસિકભાઇને સંતાનમાં ત્રણ દીકરી હતી. આથી પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પત્ની પાસે ચોથી ડિલિવરી કરાવી હતી. પત્ની ડિલિવરી કરવા માટે પિયર ગઇ હતી. પરંતુ ડિલિવરી દરમિયાન જાણવા મળ્યું કે પોતાને ચોથી દીકરી આવી છે, આથી તેઓ ચિંતામાં ડૂબી ગયા હતા. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાની ત્રણ દીકરીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ જિંદગી ટૂંકાવી હતી.

આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મારા ભાઇએ આવું પગલું ભર્યું

રસીકભાઇના મોટાભાઇ વાલજીભાઇ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રસીક મારો નાનો ભાઇ હતો. તેની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોવાથી પોતાની ત્રણેય દીકરીઓને કૂવામાં નાંખી પોતે આપઘાત કરી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો