આઠ નવેમ્બર મધ્ય રાત્રિએ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, સાધુ-સંતો અને અન્નક્ષેત્રો વાળા પહોંચી ગયા

કાર્તિક સુદ અગિયારસથી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. તંત્રએ લોકોની સુખાકારી માટે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી તરફ અન્નક્ષેત્રોવાળા પહોંચી ગયા છે અને અન્નક્ષેત્રો ઉભા કરવાની તૈયારીઓ પ્રારંભી દીધી છે. આ અંગે સાધુ-સંતો પણ પરિક્રમા રૂટ પર પહોંચી જઇ પોતાનાં ધુણા બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

પરિક્રમાર્થી ટ્રેન પર યાત્રા નહિ કરી શકે

ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આવવા જવા માટે ટ્રેનનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. લોકોનો ધસારો એટલી હદે હોય છે કે, લોકો ટ્રેન ઉપર બેસીને સવારી કરે છે જેના લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના બનાવોને પગલે આ વર્ષે પરિક્રમામાં આવતા લોકો ટ્રેન પર કે બસ ઉપર બેસીને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો