અમદાવાદમાં ભૂખ્યાને ભોજન મળી રહે એ માટે શરૂ થયો નવતર પ્રયોગ, અન્નદાન માટે જાહેર રોડ પર ફ્રિજ મૂકાયું

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલાં શાંતિ ટાવર પાસે કોઇ ગરીબ તરસ્યો કે ભૂખ્યો ન રહે તે માટે એક ફ્રિજ મુકવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પહેલાં મુકવામાં આવેલા ફ્રિજમાં પાણીની બોટલથી લઈને જમવાનું વસ્તુઓ પણ મળી રહે છે. આસપાસ રહેતા સ્થાનિકો પોતાની મરજી અનુસાર જમવાનું તેમજ ફળો આ ફ્રિજમાં મુકી જાય છે. અને કોઇપણ જરૂરીયાતમંદને આ ફ્રિજ ખોલવા માટે કોઇ રોકટોક નથી.

ફ્રિજ પાછળ વપરાતી વીજળીનું બીલ સ્થાનિકો ભરે છે

અમદાવાદમાં ફીડીંગ ઈન્ડિયા નામની NGOને આ રીતે જાહેરમાં ફ્રિજ મુકવાનો આઇડિયા આવ્યો હતો. તેઓએ ટાવરની આસપાસ રહેતા સ્થાનિકોની સાથે વાતચીત કરી ટાવરની બહાર ફ્રિજ મુકવાનું નક્કી કર્યું હતું. આજે એક અઠવાડિયાથી અહીં ફ્રિજમાં ઠંડા પાણીથી લઈ જમવાની વસ્તુઓ રાખવામાં આવી છે. ટાવરની આસપાસ રહેતા સ્થાનિકો પણ કોઇ પ્રસંગ થયો હોય કે પાર્ટીમાં બચેલું જમવાનું આ ફ્રિજમાં મુકી દે છે. જેથી ગરીબ અથવા જરૂરિયામંદ પોતાના જરૂરિયાત અનુસાર ફ્રિજમાંથી પાણી અથવા જમવાનું નિકાળી લે છે. હાલમાં ફ્રિજ પાછળ વપરાતી વીજળીનું બીલ ત્યા રહેતા સ્થાનિકો ભરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો