નવી પહેલ: પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઇને જેતલસર રેલવે સ્ટેશન પર કેળના પાનમાં નાસ્તો અને જમવાનું પીરસાય છે

પશ્ચિમ રેલવે ભાવનગર રેલ મંડળ દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઇને નવી પહેલ શરૂ કરી છે. જેતલસર રેલવે સ્ટેશન કેટરિંગ સ્ટોલ પર જમવાનું અને નાસ્તો કેળના પાનમાં પરોસવામાં આવી રહ્યું છે. તેમજ સૂકાયેલા પાનમાંથી બનાવેલા વાસણમાં પરોસવામાં આવી રહ્યું છે. ભાવનગર રેલવે મંડળ દ્વારા પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાનને ટેકો આપી શરૂઆત કરવામાં આવી છે.

ભાવનગર રેલવે મંડળ દ્વારા સ્ટેશન પર કેન્ટીનમાં કેળના પાનનો ઉપયોગ

● ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી ●

ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું. રેલ્વે સ્કૂલ ખાતેથી યોજવામાં આવેલી રેલીમાં રેલ્વેના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

આ રેલી ભાવનગરપરા વિસ્તારમાં ફરી ડી.આર.એમ કચેરીએ પહોંચી હતી,જ્યાં સ્વચ્છતા માટે શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. ભાવનગર રેલ્વે ડિવિઝનના તમામ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાન શરૂ રહેનાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો