વડોદરા લવ-જેહાદ કેસ: પાટીદાર યુવતીની માતાએ કહ્યું, ‘દીકરીને પહેલીવાર બુરખામાં જોઈને હું ધ્રુજી ગઇ, તેની આંખોમાં ડર હતો’, જાણો વિધર્મીએ કેવી રીતે ફસાવી?

પ્રેમમાં ફસાવી બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેનાર મોહિબે મારી દીકરીને ચાર મહિના સુધી મને મળવા દીધી ન હતી. જયારે મેં તેને પોલીસ સ્ટેશનમાં બુરખામાં જોઇ ત્યારે હું ધ્રૂજી ઉઠી હતી. તેની માત્ર આંખો દેખાતી હતી. જેમાં ડર દેખાતો હતો તેમ પાટીદાર યુવતીની માતાએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દીકરીઓને સલાહ, ‘મોટી-મોટી વાતોમાં ફસાશો નહીં’
પુત્રીએ મોહિબ સાથે લગ્ન કરી લીધાની જાણ થતાં મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 4 મહિના સુધી તો મને પુત્રીને મળવા દેવાઈ જ નહતી. પુત્રીને એક દિવસમાં 2 મિનિટ જ વાત કરવા દેવાતી હતી. મળવા આવે તો મોહિબ તેની સાથે જ રહેતો. મને જાણ થતી કે તેની પર અત્યાચાર થાય છે ત્યારે મને ઘણું દુઃખ થતું. મેં તેને અનેકવાર કહ્યું હતું કે તું આ કીચડમાંથી પાછી આવી જા. મને ગર્વ છે કે તે નજરકેદ જેવી સ્થિતિ વચ્ચે પણ તેના પુત્રને લઈને બહાર આવી. સમાજની બીજી દિકરીઓને હું કહીશ કે આવા વિધર્મીઓ માત્ર મોટી મોટી વાતો કરશે જેમાં ફસાશો નહીં અને તમારા માતા પિતા, પરિવારને દુઃખી ન કરશો કારણ કે પુત્રીના ગયા બાદ પરિવાર માટે સ્થિતિ ખૂબ આઘાતજનક હોઈ છે.(યુવતીની માતા સાથે થયેલી વાતચીત અનુસાર )

‘મને હવે પાક્કી ખાતરી થઈ ગઇ કે આ લવ જેહાદ છે અને ષડયંત્ર પણ છે’
નિકાહ પછી મને કહેવાયું હતું કે હું હવે મુસલમાન છું, નમાઝ પઢવી પડશે અને ધર્મ પાડવો પડશે. પુત્રનું નામ શિવ રાખ્યું હતું. પરંતુ મોહિબ તેને નૂર મહંમદ કહીને જ બોલાવતો હતો. જ્યારે પુત્રને હનુમાન ચાલીસા સંભળાવતી હોઈ ત્યારે મોહિબ કહેતો કે આનાથી બાળક પર ખરાબ અસર થશે. મોહિબના ભાઈએ મારો હાથ પકડ્યો હતો ત્યારે મેં મોહિબને અંગે જાણ કરી. તો તેને મને કહ્યું હતું કે એ આપણું પૂરું કરે છે. મે પહેલા લવજેહાદ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ હવે મને પાક્કી ખાતરી થઇ ગઇ છે કે આ લવજેહાદ જ છે. એક ષડયંત્ર છે. (ભોગ બનનાર યુવતી સાથે થયેલી વાતચીત અનુસાર)

વિધર્મીએ કેવી રીતે યુવતીને ફસાવી ?
સમા વિસ્તારમાં રહેતી એક 23 વર્ષિય પાટીદાર યુવતી સને 2018માં ધો.12માં અભ્યાસ કરતી હતી. તે વખતે બોર્ડની પરીક્ષા આપવા નિઝામપુરાની સ્કુલમાં જતી હતી. વિધર્મી મોહિબ ઈમ્તિયાઝ પઠાણનો નાનો ભાઈ સાજીદ પણ પરીક્ષા આપવા આવતો હતો. સાજીદને સ્કુલમાં લેવા મુકવા મોહિબ આવતો હતો ત્યારે યુવતીની તેની સાથે મુલાકાત થઈ હતી અને ઓગસ્ટ – 2020માં સબ રજિસ્ટ્રારની કચેરી, કુબેરભવન ખાતે રજિસ્ટર મેરેજ કર્યા હતા.તા. 11 સપ્ટેમ્બર 2020ના રોજ કાઝીને બોલાવી યુવતની મરજી વિરુદ્વ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવીને નિકાહ પઢાવ્યા હતા

લોકો કાયદાથી ડરે તેવું વાતાવરણ ઉભુ કરવુ જોઈએ
આવી ઘટનાઓને રોકવા માટે કાયદાનો કડક અમલ કરવો જોઈએ, લોકો કાયદાથી ડરે તેવું વાતાવરણ ઉભુ કરવુ જોઈએ, વિધર્મી દ્વારા પાટીદાર સમાજની યુવતીની જીંદગી નર્ક સમાન બનાવી છે તે દુખદ બાબત છે પીડિતાની પાછળ સમાજ તો ઉભો રહેશે. -રોહીતભાઈ પટેલ, કાનમ લેઉઆ પાટીદાર સમાજના ઉપ પ્રમુખ

લવ જેહાદને સખત શબ્દોમાં વખોડીએ છીએ
લવ જેહાદના નામે જે પ્રવૃત્તી ચાલી રહી છે તેને સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. વડોદરા શહેર કે રાજયમાં હિંદુ યુવતીઓને શિકાર બનાવવામાં આવે છે તેવા તત્વો સામે સખત કાર્યવાહી થવી જોઈએ, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે લવ જેહાદનો કિસ્સો નોંધાયો છે તે કેસમાં ન્યાયીક તપાસ થાય તેવી અમારી માંગણી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો