હૈદરાબાદ એન્કાઉન્ટર: પીડિતા પિતાએ કહ્યું, ‘મારી દીકરીની આત્માને શાંતિ મળી હશે’ પીડિતાની બહેને કહ્યું, ‘પોલીસની કામગીરીએ દાખલો બેસાડ્યો’
હૈદરાબાદમાં વેટરનરી ડૉક્ટર સાથે બળાત્કાર બાદ નિર્મમ હત્યા કરનારા આરોપીઓને શુક્રવારે સવારે પોલીસે ઠાર માર્યા છે. પોલીસે કરેલા એન્કાઉન્ટર અંગે પીડિતાના પિતાએ સરકારને શુભકામના આપી છે. સાથે જ કહ્યું કે, દીકરીની આત્માને શાંતિ મળી હશે. ઉલ્લેખનીય છે કે બરબરતાની હદ પાર કરતી આ ઘટના પ્રકાશમાં આવતાં જ દેશભરમાં આક્રોશ હતો. આરોપીઓને ફાંસી આપવાની માગ ઉઠી હતી. એક આરોપીની માતાએ તો ચારેયને પીડિતાની જેમ જ સળગાવી દેવાની માગ કરી હતી.
27 નવેમ્બરની એ કાળી રાત્રે વેટરનરી ડૉક્ટર સાથે થયેલી આ ઘટના બાદ માત્ર હૈદરાબાદ જ નહીં દેશભરમાં ઉકળાટ હતો. 2012માં દિલ્હીમાં થયેલી ગેંગરેપની ક્રૂર ઘટનાને યાદ કરાવતો આ કિસ્સો હતો. એવામાં દેશનો અવાજ હતો કે, ‘ડૉ. દિશા’ના આરોપીઓને ફાંસી મળે. પીડિતાના પરિવારજનો ઉપરાંત એક આરોપી કેશવુલુની માતાએ કહ્યું હતું કે, તેમણે યુવતીને જે નિર્દયતાથી સળગાવી તેવું જ તેમની સાથે કરો. આરોપીની માએ કહ્યું હતું, ‘મારી પણ એક દીકરી છે. હું પીડિતાના પરિવારના દર્દને સમજી શકું છું.’ બાકીના આરોપીઓના પરિવારે પણ કાયદાનું પાલન કરીને કડક સજાની માગ કરી હતી.
#WATCH Hyderabad: Reaction of girl students when news of encounter of the accused in murder and rape of woman veterinarian broke out pic.twitter.com/z238VVDsiC
— ANI (@ANI) December 6, 2019
પીડિતાના પિતાએ મંગળવારે કહ્યું હતું, “દોષિતોને શક્ય તેટલી જલદી સજા મળવી જોઈએ. ઘણા કાયદા ઘડાયા છે પરંતુ તેનું પાલન નથી થતું. નિર્ભયા કેસ જ જોઈ લો. દોષિતોને ફાંસીએ લટકાવી દેવા જોઈએ.” પોતાની દીકરી સાથે અનાર્યપણું આચરનારા આરોપીઓનું એન્કાઉન્ટર થતાં પિતાએ તેલંગાણા સરકારને શુભેચ્છા આપી છે. પીડિતાના પિતાએ કહ્યું, “મારી દીકરીના મોતને 10 દિવસ થયા છે. મારી દીકરીના આત્માને હવે શાંતિ મળી હશે.”
Father of the woman veterinarian on all 4 accused killed in police encounter: It has been 10 days to the day my daughter died. I express my gratitude towards the police & govt for this. My daughter's soul must be at peace now. #Telangana pic.twitter.com/aJgUDQO1po
— ANI (@ANI) December 6, 2019
પીડિતાની બહેને પણ એન્કાઉન્ટર અંગે ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, “આ એન્કાઉન્ટરે સમાજમાં દાખલો બેસાડ્યો છે. રેકોર્ડ ટાઈમમાં ન્યાય મળ્યો છે. હું એ લોકોની આભારી છું જેઓએ આ મુશ્કેલ ઘડીમાં અમારો સાથ આપ્યો હતો.” એન્કાઉન્ટર બાદ તેલંગાણાના કાયદા મંત્રી ઈંદ્રકરણ રેડ્ડીએ કહ્યું કે, “કાયદાકીય પ્રક્રિયા પહેલા જ ભગવાને આરોપીઓને સજા આપી દીધી છે. આરોપીઓએ ભાગવાની કોશિશ કરી તો તેમનું એન્કાઉન્ટર કરી નાખ્યું. આનાથી હૈદરાબાદ સહિત આખા દેશમાં ખુશીનો માહોલ છે.”
આ પહેલા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના દીકરા અને મંત્રી કેટી રામા રાવે કહ્યું હતું કે, ‘હું પણ દેશના અન્ય લોકોની જેમ ઈચ્છું છું કે ચારેય આરોપીઓને મોતની સજા મળે. પરંતુ દુર્ભાગ્યવશ સરકારમાં હોવાથી હું આમ કરી નહીં શકું. આરોપીઓને પ્રજાની સામે જ ફાંસી કે ગોળી મારવાનો આદેશ ન આપી શકું કારણકે વ્યવસ્થા અને વહીવટ આ પ્રકારે કામ નથી કરતા.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

