અંકલેશ્વરમાં પિતાએ પુત્રીના દુષ્કર્મીને શોધી તેની હત્યા કરી, હવે સગીરાના પરિવારની મદદે આવ્યો એક પોલીસકર્મી, પરિવારનો અને પિતાને મુક્ત કરાવવાનો તમામ ખર્ચ ઉપાડશે

સગીરાના પરિવારનો અને પિતાને મુક્ત કરાવવાનો ખર્ચ ઉપાડશે

અંકલેશ્વરમાં 5 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર યુવાનને શોધીને પિતાએ માર મારતાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે ત્યાર બાદ અંકલેશ્વર પોલીસે હત્યા કરવાના આરોપસર પુત્રીના પિતાને જેેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, જેની મદદે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનો પરિવાર આવ્યો છે.

અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળા ઉપર એક યુવકે નજર બગાડી, તેને પટાવી-ફોસલાવી શૌચાલયમાં લઇ ગયો હતો. ત્યાં તેણે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેને ત્યાં મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ બાળકીના પિતાને થતાં તેણે આરોપી લાલુ રાજુ બિહારીને શોધી નાખ્યો હતો. પિતા અને અન્ય લોકોએ લાલુ બિહારીને ઢોર માર મારતાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સદર ઘટનામાં પોલીસે બાળકીના પિતાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

જોકે બાળકીના પિતાની આર્થિક હાલત બરાબર નહીં હોવાથી ભરૂચ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનીષ મિસ્ત્રીને ઘટનાની જાણ થતાં તેમણે બાળકીના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકીના પિતા જેલમાં હોવાથી પરિવારનું ગુજરાન ચાલી શકે તેમ નથી. આવા સંજોગોમાં બાળકીના પિતા નિર્દોષ છૂટે એ માટે નીચલી કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધીની લડત માટેનો તમામ ખર્ચ મનીષ મિસ્ત્રી તથા તેમનો પરિવારે ઉઠાવાનો નિર્ધાર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો