રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર ખેડૂતોની ડુંગળી વેચવાનો કારસો, એક કિલો ડુંગળીનાં 4 થી 5 રૂ. મળતા ખેડૂત ચોધાર આંસુએ રડ્યા

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ લોકડાઉન પાર્ટ-3 ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોની ડુંગળી વહેંચવાનો કારસો સામે આવ્યો છે. ત્યારે વેપારી અને દલાલોના કારસાનો ભોગ બનેલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો પડધરીના એક ખેડૂત રીતસર ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી.

રાજકોટ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ દિલીપ સખીયા અને તેમની ટીમ દ્વારા આજરોજ જુના માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે કેટલાક ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની રજૂઆત કિસાન સંઘના આગેવાનોને કરી હતી. ખેડૂતોએ કિસાન સંઘના આગેવાનોને રજૂઆત કરી હતી કે, તેમનો માલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ વેચી નાખવામાં આવે છે. જેના કારણે તેમને પોષણક્ષમ ભાવ મળતો નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમની ડુંગળીની બોરીમાં 52 થી 55 કિલો ડુંગળી હોવા છતાં તેમને પ્રતિ બોરી માત્ર 40 કિલોના ભાવ જ મળી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ બોરી માત્ર 210 થી 220 રૂપિયા જ ચૂકવવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પડધરીના ખેડૂત ચોધાર આંસુએ રડ્યા અને મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી

પડધરીના ડુંગરકા ગામના ખેડૂત દીપકભાઇ લીંબાસીયાએ 8 વીઘાની ડુંગળી વાવી હતી. પરંતુ એક કિલોના 4થી 5 રૂપિયા મળતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. અને મીડિયા સમક્ષ તેઓએ વ્યથા ઠાલવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ખાતરની યુરીયાની એક થેલીના ભાવ 262 રૂપિયા છે, પાંચ હજાર મજૂરો ખર્ચ થાય છે. આ સિવાય કૂવાના પાણી , સિંચાઇના પાણી, લાઇટ બિલ અને રાતના ઉજાગરા કરીને ખેડૂત મહામહેનતે આ પાક પકવે છે. ડુંગળીના પાકને યાર્ડમાં લાવવા માટે ભાડા ચૂકવવા પડે છે. એક મણે 13થી 15 રૂપિયા ભાડુ દેવુ પડે છે. ક્યા ગયા અધિકારીઓ અને પદાધિકારીઓ કોઇ જવાબ દેતું નથી. એક વીઘે છથી સાત હજારનો ખર્ચ થાય છે. ક્યારેય ભાવ નથી મળતા. હવે કાયમી માટે પિસાતુ રહેવાનું છે. 52 કિલોના વજન વાળી ડુંગળી 258 રૂપિયામાં વેચાણી છે.

ડુંગળીના એક વીઘાના વાવેતર પાછળ પાંચથી6 હજારનો ખર્ચ઼

મીડિયા સાથેની વાતચીતમાં પડધરી તાલુકાના દીપકભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં આ વર્ષે દસ વીઘાની અંદર ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના એક વીઘાના વાવેતર પાછળ તેમને પાંચથી છ હજાર જેટલો ખર્ચ થયો હતો. ત્યારે હાલ તેમને 2500 મણ ડુંગળીની ઉપજ થઈ છે. તો સાથે જ તેમણે છેલ્લા બે વર્ષથી પાક ધિરાણ પણ ચૂકવી શક્યા નથી. ત્યારે કોરોનાના કહેર વચ્ચે યાર્ડના સત્તાધીશો આ તમામ મામલે અજાણ હોવાનુ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. કોરોનાના કહેર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચનાર ખેડૂત સરેઆમ લૂંટાઈ રહ્યા છે. ખેડૂત પાસેથી જે ડુંગળી વેપારીઓ જુના માર્કેટિંગ યાર્ડમાં બેથી પાંચ રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહ્યા છે તે જ ડુંગળી રિટેલ માર્કેટમાં ગ્રાહકોને 20 થી 25 રૂપિયા કિલો મળી રહી છે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળી રહ્યા છે તે વાત સાચી છે. આ અંગે હું મુખ્યમંત્રીને રજૂઆત કરશ કે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો