ક્વોરન્ટીનના સિક્કાના કારણે ચામડી બળી જતી હોવાની ઘટના આવી સામે, એક જ પરિવારના મહિલા, પુરુષ અને બાળકીની ચામડી બળી જતા પરિવાર દોડતું થયું

સુરત શહેરમાં ક્વોરન્ટીનના સિક્કાના કારણે એક પરિવારના ત્રણ સભ્યોને એલર્જીથી ચામડી બળી જતા પરિવાર મૂંઝવણમાં મૂકાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. જુનાગઢથી પરત ફર્યા બાદ પરિવાર ક્વોરન્ટીનમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બાળકી સહિત ત્રણ સભ્યોની ચામડી બળી ગઈ

સુરતમાં પ્રવેશવા માટે પાલિકા દ્વારા ત્રણ એન્ટ્રી બનાવવામાં આવી છે. અન્ય રાજ્ય કે અન્ય જિલ્લામાંથી આવતા લોકોને એન્ટ્રી પોઈન્ટ પર જ ક્વોરન્ટીનના હાથ પર સિક્કા મારી દેવામાં આવે છે. જોકે, આ કિવોરન્ટીનના સિક્કાની શાહીના કારણે એક પરિવાર મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. 20મીએ જુનાગઢથી પરત ફરેલું અને સરથાણા ખાતે રહેતા દોમડિયા પરિવારના બાળકી સહિત ત્રણ સભ્યોને ક્વોરન્ટીનના સિક્કા માર્યા હતા. દરમિયાન આ સિક્કાની શાહીના કારણે એલર્જી થતા જ્યાં ક્વોરન્ટીનના સિક્કા માર્યા તે ચામડી બળી ગઈ છે. દયાબેન, પ્રફુલભાઈ, અને યશ્વી દોમડિયાને ચામડી બળી જવાનો પ્રોબ્લેમ થયો છે.

એલર્જી હોય તો ચામડી બળવાની શક્યતા રહે

ક્વોરન્ટીનના સિક્કાની શાહીથી એલર્જી થતા ચામડી બળી જવા અંગે ડો. કેયુર દોમડિયાએ જણાવ્યું હતું કે, ક્વોરન્ટીનના સિક્કા માટે ઈલેક્શનમાં વપરાતી શાહી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ શાહીના કારણે એલર્જીથીચામડી બળી ગઈ છે. બીજા દિવસે હેલ્થ સેન્ટરમાં જાણ કરતા દવા આપવામાં આવી હતી. એન્ટ્રી પોઈન્ટ પર પણ જાણ કરવામાં આવી હતી. તપાસ કરવા અંગે બાહેંધરી આપીહતી. ત્યારબાદ પાલિકાના ડેપ્યૂટી કમિશનર સાથે પણ વાત કરી હતી. આજે સાત-આઠ દિવસ થઈ ગયા હોવા છતા કોઈ કામગીરી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો