અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે, પીઝા પોઈન્ટના પીઝામાં ઇયળ નીકળી, સંચાલકે 3 દિવસ આઉટલેટ બંધ રાખવાનું કહી સંતોષ માન્યો

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે હોટેલ-રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહકો સ્વચ્છતાની ચકાસણી કરી શકે તેવી મંજૂરી આપ્યાના 3 દિવસ થયા છે. જોકે, બહાર જમવા જનારમાંથી મોટા ભાગના લોકો કિચનની ચેકિંગ કરતા નથી. ત્યારે આંખ ઉઘાડતો કિસ્સો વસ્ત્રાલ વિસ્તારમાં આવ્યો છે. પીઝા પોઈન્ટના આઉટલેટમાં પીઝામાં ઈયળ મળી આવી હતી. ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવતા રેસ્ટોરાંના સ્ટાફ દ્વારા કોઈ સંતોષકારક જવાબ અપાયો ના હતો. સંચાલકનો કોન્ટેક્ટ કરતા તેણે ગ્રાહકને 3 દિવસ આઉટલેટ બંધ રાખવાનું કહીને સંતોષ માન્યો હતો.

વસ્ત્રાલ વિસ્તારના નિરાંત ચોકડી પાસે આવેલી પીઝા પોઈન્ટ નામના પીઝા આઉટલેટમાં પીઝામાંથી ઇયળ નીકળી હોવાની ઘટના સામે આવી હતી. પીઝા પોઈન્ટના સ્ટાફને આ બાબતે જાણ કરતાં સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ ના મળતા ગ્રાહક દ્વારા આઉટલેટના સંચાલક પ્રકાશભાઈને ફોન કર્યો હતો. ગ્રાહક સાથેની વાતચીતના રેકોર્ડિંગમાં સામે આવ્યા છે, જેમાં ગ્રાહક ઈયળ નીકળી હોવાની વાત કરતાં સંચાલક આઉટલેટ દ્વારા ફોટો મોકલીને જાણ કરાઈ હોવાનું કહે છે અને ત્રણ દિવસ માટે આઉટલેટને સસ્પેન્ડ કરવાનું કહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો