હવેથી રોજ ખાઓ ગોળ નહીં થાય શરદી-ઉધરસ કે એલર્જી, જાણો તેના અન્ય ફાયદા અને શેર કરો

શેરડીના રસમાંથી બનતો ગોળ અત્યંત ગુણકારી હોય છે. દરેક ઘરના રસોડામાં ગોળ હોય જ છે. અનેક મીઠાઈઓમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ ગોળનું મહત્વ દર્શાવ્યું છે. શરીરમાંથી લોહીની ઊણપ દૂર કરવા ઉપરાંત ગોળ એન્ટીબાયોટીકની જેમ પણ કામ કરે છે. તેમાં પણ શિયાળામાં ગોળ ખાવાથી વધારે ફાયદો થાય છે. ગોળ નાની-મોટી બીમારીમાં ફાયદાકારક સાબીત થાય છે. તેથી શિયાળાના સમયમાં નિયમિત રીતે ગોળનું સેવન કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફેંફસા માટે

ગોળમાં સેલેનિયમ હોય છે અને આ એક એન્ટીઓક્સિડેન્ટનું કામ કરે છે. તેથી જો નિયમિત રીતે ગોળનું સેવન કરવામાં આવે તો ફેંફસાના ઈન્ફેકશનથી બચી શકાય છે.

નાકની એલર્જી

જે લોકોને નાકમાં વારંવાર એલર્જી થઈ જતી હોય તેમણે સવારે ખાલી પેટ 1 ચમચી ગળો, 2 ચમચી આંબળાનો રસ અને ગોળનું સેવન કરવું. રોજ આ ઉપાય કરવાથી એલર્જીની સમસ્યા દૂર થઈ જશે.

કફ કરશે દૂર

શિયાળામાં શરદી-કફની સમસ્યા ખૂબ જ સતાવે છે. તેનાથી મુક્તિ મેળવવા માટે ગોળની ચા પીવી જોઈએ. આ સિવાય ગોળ, તુલસી, આદુનો ઉકાળો બનાવીને પીવાથી પણ ફાયદો થશે.

શરદી દૂર કરવા

શિયાળામાં ગોળ અને તલને મિક્ષ કરીને ખાવાથી શરદીની સમસ્યા સતાવતી નથી. ગોળ ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે.

અસ્થમાની સારવાર

એક કપ મૂળાનું છીણ, ગોળ અને લીંબૂનો રસ મીક્ષ કરીને 20 મિનિટ તેને ધીમા તાપે સાંતળો. આ પેસ્ટને રોજ એક એક ચમચી ખાવું. અસ્થમાના દર્દીઓને લાભ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો