જીવલેણ કોરોનાથી શરીરમાં શું થાય? વાયરસના શિકાર બનેલા ડોક્ટરે જણાવી આપવીતી, જાણીને કંપારી છૂટી જશે

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે હવે આખી દુનિયામાં કોહરામ મચાવી દીધો છે. દુનિયાભરમાં આ બીમારીથી 4900થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. કોરોના વાયરસથી પીડિત દર્દી પર શું ગુજરે છે, શરીરમાં કેવા પ્રકારનું દર્દ થાય છે તેને સ્પેનના એક ડૉકટરે જણાવ્યું છે જે ખુદ કોરોનાથી પીડિત છે.

35 વર્ષના ડૉકટર ચેન કોરોનાથી પીડિત

કોરોનાથી પીડિત સ્પેનના 35 વર્ષના ડૉકટરે યેલ તુંગ ચેને પોતાની બીમારી અંગે દરરોજની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. મેડ્રિડની હોસ્પિટલ યુનિવર્સિટી લા પેજમાં દર્દીની સારવાર દરમ્યાન ચેનને કોવિડ-19 વાયરસનું સંક્રમણ થયું. હવે ડૉકટર ચેન દરરોજ પોતાની બીમારી અંગે સોશિયલ મીડિયા પર જણાવી રહ્યા છે.

ઇમરજન્સી ફિઝિશિયન ડૉકટર ચેન પોતાના ફેફસાંના અલ્ટ્રાસાઉન્ડ સ્કેન અને દરરોજના લક્ષ્ણ જણાવી રહ્યા છે. તેમનો હેતુ દુનિયાને આ બીમારી દરમ્યાન થતી અસરથી રૂબરૂ કરાવાનો છે.

પહેલાં દિવસે કેવી સ્થિતિ

પહેલાં દિવસે ટ્વિટર પર પોતાની બીમારી અંગે ડૉકટર ચેને કહ્યું કે ગળામાં ખૂબ ખરાશ છે, ખૂબ જ માથુ દુ:ખે છે, સૂકી ઉધરસ આવે છે પરંતુ શ્વાસ લેવામાં તકલીફ નથી. ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા નથી. પોતાના ફેફસાના POCUS (પોઇન્ટ ઓફ કેયર અલ્ટ્રાસાઉન્ડ) પર નજર રાખીશ. પોતાના ઘરમાં અલગ રહેતા ડૉકટર ચેન દરરોજ ટ્વીટમાં પોતાના શરીરના દુખાવા અંગે લોકોને કહે છે.

બીજા દિવસની ટ્વીટ

બીજા દિવસે ટ્વીટમાં ડૉકટરે કહ્યું કે ભગવાનની દયાથી ગળમાં ખરાશ અને કફમાં થોડોક ઘટાડો આવ્યો છે. કફ અને માથાનો દુખાવો ઓછો થયો છે. શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવાની ફરિયાદ નથી.

ત્રીજા દિવસની ટ્વીટ

ડૉકટર ચેને ત્રીજા દિવસે માહિતી આપતા કહ્યું કે હજુ સુધી ગળમાં ખરાશ કે માથાનો દુખાવો નથી. ગઇકાલ કફવાળો દિવસ હતો, હજુ સુધી શ્વાસ લેવામાં મુશ્કેલી કે છાતીમાં દુખાવો નથી. ડાયરિયા શરૂ થઇ ગયા છે. ખુશીની વાત એ છે કે કફમાં ઘટાડો આવ્યો છે.

ચોથા દિવસની સ્થિતિ અંગે ડૉકટરે કહ્યું

ચથા દિવસે અપડેટ આપતા કહ્યું કે ખૂબ જ કફ થઇ ગયો છે, થાક પણ લાગી રહ્યો છે. જો કે છાતીમાં દુખાવો નથી.

ડૉકટર ચેને કહ્યું કેવી રીતે કોરોના થયો

સ્પેનિશ ડૉકટરે LBC Newsને કહ્યું કે શિફ્ટ પૂરી થતા હું બીમાર હોઉ એવું મને મહેસૂસ થવા લાગ્યું. ત્યારે મને વિચાર આવ્યો કે આ કોરોનાવાયરસનું સંક્રમણ હોઇ શકે છે. પરંતુ હું કોઇ એવા શખ્સના સંપર્કમાં આવ્યો જ નહોતો જેમાં કોરોનાના લક્ષ્ણ હોય.

પત્ની અને બાળકોથી દૂર

પત્ની અને બાળકોને આ ખતરાથી બચાવા માટે ડૉકટર ચેને પોતાના ટેસ્ટ કરાવાનો નિર્ણય કર્યો. થોડીકવાર બાદ તેમને કોરોના વાયરસથી પીડિત હોવાની ખબર પડી. ડૉકટરે કહ્યું કે જેવી મને ખબર પડી કે મેં પોતાને મારા રૂમમાં અલગ કરી લીધો. હું ઘરમાં મારા લોકોથી બિલકુલ કટ થઇ ગયો છું. આ મારા જીવનની સૌથી ખરાબ ક્ષણ છે. હું મારી પત્ની, બાળકો અને પરિવારનને મળી શકતો નથી.

ચેનની ડાયરી સોશિયલ મીડિયા પર ફેમસ

તેમણે કહ્યું કે મને ખૂબ જ સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. ડૉકટર ચેનની ડેલી ડાયરી સોશિયલ મીડિયા પર 68 હજારથી વધુ લોકો જોઇ ચૂકયા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો