પોલીસની સૂચના: વોટ્સએપમાં કોરોનાને લગતી ખોટી માહિતી, કે ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કરશો કે ફોરર્વડ કરશો તો થશે સજા

કોરોના વાઇરસની મહામારીમાં કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે. જેથી વોટ્સએપ ગ્રુપના એડમીન અને મેમ્બર માટે અમદાવાદ પોલીસે સૂચના બહાર પાડી છે. વોટ્સએપમાં ખોટી વિગતો, ઉશ્કેરણીજનક મેસેજ વીડિયો, ઓડિયો, પોસ્ટ કરવી નહીં કે ફોરવર્ડ ન કરવી. જો કોઈ આવી વાત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવી. કોરોના વાઇરસ અને કોઈ ધર્મ બાબતે અશ્લીલ અને ભેદભાવવાળી પોસ્ટ ન કરવી. જો આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવશે કે ફોરવર્ડ કરવામાં આવશે તો સજાની જોગવાઈ પણ જણાવવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

એડમીને અફવા ફેલાય નહીં તેનું ધ્યાન રાખવું

ગ્રુપ એડમીને ગ્રુપના મેમ્બર વિશ્વાસપાત્ર છે કે નહીં અને ખોટી અફવા ફેલાવે નહી તે ધ્યાન રાખવું. ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ ન થાય તેનું ધ્યાન રાખવું. જો ગ્રુપના સભ્યો ન માને તો માત્ર એડમીન પોસ્ટ કરી શકે તેવા સેટિંગ કરવા જોઈએ. જો કોઈ સભ્ય ગેરવર્તન કે વાંધાજનક પોસ્ટ કરે તો પોલીસને જાણ કરવી. જો આવી કોઇ પોસ્ટ જણાશે તો પોસ્ટ કરનાર વ્યક્તિ કે એડમીન સામે પોલીસ આઇટી એક્ટ મુજબ ગુનો નોંધશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો