બાળકોમાં મ્યુકર માઇકોસિસને લઈ ડોક્ટરોની ચેતવણી, માતા-પિતાએ રાખવી જોઈએ આ તકેદારી

ગુજરાતમાં કોરોનાનાં કહેર બાદ મ્યુકર માઈકોસિસના રોગે કાળો કહેર વર્તાવ્યો છે. અને રાજ્યમાં મ્યુકર માઈકોસિસના રોગના કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેને મહામારી જાહેર કરવામાં આવી છે. તો અમદાવાદમાં 16 વર્ષનાં બાળકને મ્યુકરમાઈકોસિસ થયો હોય તેવો કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. ત્યારે ડોક્ટરોએ બાળકોમાં મ્યુકર માઈકોસીસને લઈ ચેતવણી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અસારવા સિવિલના પીડિયાટ્રિક વડા ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, બાળકોમાં મ્યુકર માઇકોસીસને લઈ માતા પિતાએ બાળકોની ખૂબ જ તકેદારી રાખવી જોઈશે. બાળકોને કોરોના બાદ કોઈપણ લક્ષણ જણાય તો હોસ્પિટલમાં ચેક અપ કરાવો. માથું દુઃખવુ, આંખ લાલ થવી કે આંખમાં ખંજવાળ આવે તો તરત જ ડોકટરની સલાહ લો. સ્ટિરોઇડ, વધુ ઓક્સિજન લીધું હોય અને ઓબેસિટીના લીધે પણ મ્યુકર માઇકોસીસ થઈ શકે છે. આ ઉપરાંત બાળકોમાં ઈમ્યુનિટી પાવર વધુમાં વધુ રહે તે ખૂબ જ જરૂરી છે. માતા પિતા બાળકને કોરોના ન થાય તે માટે પણ જરૂરી ધ્યાન રાખે તેમજ માસ્ક અને ગાઈડલાઈન જરૂરી છે તેમ પણ ડોક્ટરોએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશના 10 રાજ્યોમાં કાળી ફૂગનું જોખમ વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ 5,800 કેસ નોંધાયા છે. ગુજરાત પછી મહારાષ્ટ્રમાં 1500 કેસ સામે આવ્યા છે. અહીં 90 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મુંબઇની વિવિધ હોસ્પિટલોમાં જ આ ગોરના 111 દર્દીઓ દાખલ છે. આ ચેપને કારણે ઘણા દર્દીઓની આંખ પણ નીકાળવી પડી છે. આ રોગના કારણે રાજસ્થાનમાં 400 દર્દીઓ, હરિયાણામાં 276, બિહારમાં 117, યુપીમાં 154, ઝારખંડમાં 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો