પરિવારને કોરોના સંક્રમણથી બચાવવા આ ડૉક્ટર 7 દિવસથી ગાડીમાં ‘ઘર’ બનાવીને રહે છે, મુખ્યમંત્રીએ પણ કરી પ્રશંસા

કોરોના વાયરસ સંક્રમિતનો ઈલાજ કરી રહેલા ડોક્ટર અને નર્સ પોતાના પરિવારથી અંતર જાળવી રાખે છે. તેઓને એ વાતનો ડર છે કે ક્યાંક આ કોરોના વાયરસ સંક્રમણ ઘરમાં પ્રવેશે નહીં. આ કારણે હેલ્થકર્મીઓ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પણ જઈ શકતા નથી. મધ્યપ્રદેશના ભોપાલની જેપી હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરે તો પોતાની ગાડીમાં જ ઘર બનાવી લીધું છે.

ભોપાલની જેપી હોસ્પિટલમાં કોરોના વાયરસ ચેપના સંદિગ્ધ ઘણાં દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. આ હોસ્પિટલના ડોક્ટરો કોરોના પીડિત લોકોના સેમ્પલ લેવા પણ જાય છે. આ કારણે ડોક્ટરને પણ સંક્રમણનો ખતરો રહેલો છે. ત્યારે સચિન નાયક નામના ડોક્ટરે તેમની ગાડીમાં જ ઘર બનાવી લીધું છે. તેઓ જરૂરી તમામ ચીજવસ્તુઓ ગાડીમાં રાખે છે અને છેલ્લાં 7 દિવસથી તેઓ આવું જ કરી રહ્યા છે.

ડોક્ટર સચિન નાયકે જણાવ્યું કે તેમના ઘરમાં 3 વર્ષનું બાળક છે. ત્યારે ઘરના લોકો કોરોના વાયરસના સંક્રમણથી દૂર રહે તે માટે તેઓ પોતાની ગાડીમાં જ રહે છે. જેથી ઘરમાં કોઈને સંક્રમણ પહોંચે નહીં. તેઓ છેલ્લાં 7 દિવસથી આ રીતે ગાડીમાં રહે છે. આ ડોક્ટરનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ છે. લોકો આ ડોક્ટરના આઈડિયાની પ્રશંસા કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે પણ ટ્વિટ કરીને તેમની પ્રશંસા કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં કોરોના વાયરસ પોઝિટિવ લોકોની કુલ સંખ્યા 268 પહોંચી ગઈ છે. જે પૈકી 29 લોકો હેલ્થ વિભાગ સાથે જોડાયેલા છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 4,421 કેસ નોંધાયા છે અને 114 લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો