ડૉક્ટરોએ જીવતી મહિલાને જાહેર કરી મૃત, ચિતા પર પણ ચાલી રહ્યા હતા શ્વાસ: પરિવારનો આરોપ

છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ડૉક્ટરોએ 72 વર્ષની મહિલાને મૃત જાહેર કરી દીધી, જો કે તે જીવતી હતી. પરિવાર મહિલાને લઇને સ્મશાન પહોંચી ગયા. કથિત રીતે મૃત મહિલાને જ્યારે ચિતા પર રાખવામાં આવી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. પરિવાર તેને પરત હૉસ્પિટલ લઇને પહોંચ્યો, પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતુ. પરિવારનો આરોપ છે કે ડૉક્ટરોએ પહેલીવાર ઠીકથી તપાસ કરી હોત તો વૃદ્ધ મહિલાનો જીવ બચી ગયો હોત.

ઘટના રાયપુરની સૌથી મોટી હૉસ્પિટલ મેકાહારામાં બની. 72 વર્ષિય લક્ષ્મી અગ્રવાલ બુધવારે ભોજન કરતા સમયે બેભાન થયા, પરિવાર તેમને લઇને મકાહારા હૉસ્પિટલ લઈને પહોંચ્યો. હૉસ્પિટલના ડૉક્ટરોએ તેમને જોતા જ મૃત જાહેર કરી દીધા. મહિલાના મૃતદેહને લઇને પરિવાર એમ્બ્યુલન્સથી ગોકુળ નગર સ્મશાનમાં પહોંચ્યો. તેમણે અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી. મહિલાને ઉઠાવીને જ્યારે ચિતા પર રાખવામાં આવી તો શરીરમાં હલચલ જોવા મળી. ધ્યાનથી જોયું તો તેમની નાડી અને શ્વાસ પણ થોડા થોડા ચાલી રહ્યા હતા.

પરિવાર તેમને લઇને હૉસ્પિટલ તરફ ભાગ્યો. ડૉક્ટરોને ફરી બતાવ્યું, પરંતુ ત્યારે તેમનું મોત થઈ ગયું હતુ. ડૉક્ટરોએ થોડાક જ કલાકમાં એક જ દર્દીને બે વાર મૃત જાહેર કરી. મહિલાનો પરિવાર ડૉક્ટરોના આ વલણથી અત્યંત દુ:ખી છે. તેમનો આરોપ છે કે પહેલીવાર જ્યારે મહિલાને મૃત જાહેર કરવામાં આવી ત્યારે તે જીવતી હતી. ડૉક્ટરોએ તે સમયે તેમની સારવાર કરી હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોત.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો