પતંગદોરીને કારણે પુત્ર ગુમાવનારના માતા-પિતાએ લોકોને સેફ્ટીબેલ્ટ વહેંચ્યા

સુરતમાં ઉતરાયણ પહેલા ચગતા પતંગના કારણે ગયા વર્ષે ચારેક વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. આ જીવ ગુમાવનારામાંથી એક યુવકના પરિવારે સુરતના ચોપાટી ખાતે અન્ય લોકોના ગળે સેફ્ટી બેલ્ટ બાંધીને લોકોને જાગૃત્ત કરવાનું કામ કર્યું હતું.

સુરત જિલ્લાના ઓલપાડ ના અશોક નગર ખાતે રહેતા શિક્ષક દંપત્તિનો પુત્ર દિપેેન તાપી બ્રિજ પરથી બાઈક પર  પસાર થતો હતો ત્યારે અચાનક જ તેના ગળામાં પતંગની દોરી ભેરવાઈ ગઈ હતી. આ દોરીના કારણે તે લોહી લુહાણ થઈ જતાં તેને  સારવાર માટે  હોસ્પિટલ લઈ જવામા આવ્યો  ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો  હતો.

જવાન જોધ દિકરો ગુમાવનારા ઠાકોરભાઈ અને માતા જશુ બહેનનના માથેે આભ તુટી પડયુ હતું. પુત્ર ગુમાવવાના શોકમાંથી માતા પિતા બહાર આવે તે પહેલાં જ પોતાની જેમ પતંગની દોરીના કારણે બીજા કોઈનો વ્હાલનો દિકરો ભોગ ન બને તે માટે જન જાગૃત્તિ માટે બહાર આવ્યા હતા. સુરતતના  રેડીયો મીર્ચી દ્વારા દર વર્ષે જન જાગૃત્તિના ભાગરૃપેે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવે છે.

આ વર્ષે ચોપાટી ટ્રાફિક ચોકી પાસે સેફ્ટી બેલ્ટનું વિતરણ પતંગ દોરાથી જીવ ગુમાવનારા દિપેનના માતા-પિતા પાસે કરાવવામાં આવ્યું હતું. પોતાના પુત્રની ઉંમરના જ એક યુવાનને સેફ્ટી બેલ્ટ બાંધતાં બાંધતા દિપેનના માતા જશુબેન ધ્રૂસકેને ધુ્રસકે રડી પડ્યા હતા. તેઓએ લોકોને ઉતરાયણ પહેલાં પતંગ ન ચગાવવા તથા તહેવાર દરમિયાન બાઈક પર જતાં લોકોને સલામતી રાખવા અપીલ કરી હતી. આ દ્રષ્ય જોઈને લોક જાગૃત્તિનું કામ કરતાં તથા ભેગા થેલા લોકોની આંખ પણ ભીની થઈ હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો