પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણીના માતુશ્રીનું નિધન

અમરેલીના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ, રાજયના પૂર્વ મંત્રી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના અને ગૂજકોમશોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબેન નનુભાઈ સંઘાણી (ઉ.વ.૮૮) તથા કાળુભાઇ, જયંતીભાઈ, ચંદુભાઈ, જયસુખભાઈ, મુકેશભાઈ સંઘાણીના માતુશ્રીનું 88 વર્ષની વયે ગઈ કાલે અમરેલી ખાતે નિધન થયેલ છે.

 

સદગતની અંતિમયાત્રા ગુરુવારે બપોરે ૨ કલાકે તેમના નિવાસ સ્થાન સુખનાથપરા ખાતેથી નિકળેલ જેમાં અમરેલી જિલ્લા તમામ રાજકીય આગેવાનો, સહકારી જગતના આગેવાનો, શહેરની વિવિધ સેવાકીય સંસ્થાના આગેવાનો વેપારીઓ , તમામ સમાજના આગેવાનો, શહેરીજનો તેમજ જોડાયા હતા. દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબેનના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.

દિલીપભાઈ સંઘાણીના માતુશ્રીનું બેસણું તા ૬-૪ અને શનિવારના રોજ બપોરે ૨ થી ૬ સુધી ખેડુત તાલિમ ભવન, લીલીયા રોડ, અમરેલી ખાતે રાખવામાં આવેલ છે..

પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો