આર્થિક ભીંસને કારણે રત્નકલાકારનો ઝેરી દવા પી કર્યો આપઘાત, સંબંધીને ફોન કરી કહ્યું, હું કંટાળી ગયો છું

આર્થિક ભીંસને કારણે રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છે અને દવા પીધી છે. ત્યારબાદ રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેરી દવા પીધી

સરથાણાની શ્યામધામ સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય રાજુ નટવર ખેનીએ બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ રાજુભાઈ મોતને ભેટ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાજુએ ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન પણ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસના કારણે આકરું પગલું ભર્યું હતું.

15 વર્ષથી હીરામાં કામ કરતા હતા

રાજુભાઈ ખેની છેલ્લા 15 વર્ષથી હીરામાં કામ કરતા હતા. મહિને 25 હજારનું કામ કરતા રાજુભાઈને છેલ્લા કેટલાક મહિનાથી મહિને માત્ર 10 હજારનું જ કામ થતું હતું. જેથી આર્થિક સંકડામણ આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો