લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થતા ઢોલીને ગોળી વાગતા ઈજાગ્રસ્ત

લગ્ન પ્રસંગમાં અવાર-નવાર ફાયરિંગની ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને કેટલીક ઘટનાઓમાં ગોળી વાગવાથી લોકોન મોત થવાના અથવા તો લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં પણ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર ભાવનગરના દાઠાના બોરડા ગામમાં સાહિત્યકાર માયાભાઈ આહિરના ઘરે દીકરીનો લગ્ન પ્રંસગ હતો. અમરેલીના ડેર પરિવારની જાન બોરડા ગામમાં આવી હતી. આ લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે વરઘોડો નિકળ્યો હતો. આ વરઘોડામાં અમદાવાદના વાડજ વિસ્તારમાંથી ઢોલીને બોલાવવામાં આવ્યા હતા. વરઘોડા દરિમયાન લગ્નમાં આવેલા એક વ્યક્તિએ ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટના દરમિયાન દશરથ રાઠોડ નામના ઢોલીને ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો.

ઈજાગ્રસ્ત થયેલા ઢોલીને તાત્કાલિક સારવાર માટે ભાવનગર જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટનાને પગલે લગ્ન પ્રસંગમાં હોબાળાના દૃશ્યો સર્જાયા હતા પરંતુ આ મામલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં હથિયારનો ઉપયોગ ન કરવા માટે રાજપુત સમાજે સામૂહિક નિર્ણય પણ લીધો હોવા છતાં પણ લગ્ન પ્રસંગમાં હથિયારનો ઉપયોગ કરવામાં આવતા ઢોલીને માથાના ભાગે ઈજા થવા પામી હતી. આ ઘટના લગ્નમાં ફાયરિંગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો