ડેંગ્યુના લક્ષણો અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર

ડેન્ગ્યુ તાવ મચ્છરો દ્વારા ફેલાતી બીમારી છે. એડીજ મચ્છર (પ્રજાતી)ના કરડવાથી ડેન્ગ્યુ વાયરસ ફેલાય છે. તાવ દરમિયાન પ્લેટલેટ્સ ઓછા થવુ તેનુ મુખ્ય લક્ષણ છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. તાવ સાથે સૌથી સામાન્ય લક્ષણ છે માથાનો દુખાવો અને સાંધાનો દુખાવો તેમજ ત્વચા ખરાબ થઈ જવી. ક્યારેક ક્યારેક આ લક્ષણ ફ્લૂના સાથે મિક્સ થઈને કંફ્યૂઝ પણ કરી દે છે.  છેલ્લા કેટલાક વર્ષોમાં ડેન્ગ્યુના કેસ વધતા જઈ રહ્યા છે.

ડેંગ્યુ કયા કારણોને લીધે થાય છે? 

ડેંગ્યુ એક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે જેના ચાર જુદા જુદા પ્રકાર છે. (ટાઈપ 1,2,3,4). સામાન્ય ભાષામાં આ બિમારીને હાડકા તોડી નાંખતો તાવ કહેવામાં આવે છે કેમકે આને લીધે શરીરના દરેક જોઈંટમાં ખુબ જ દુ:ખાવો થાય છે. મલેરિયાની જેમ આ પણ મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. મચ્છર કરડ્યાંના 3-5 દિવસ પછી વ્યક્તિમાં ડેંગ્યુના લક્ષણો દેખાવા લાગે છે. આ તાવના ત્રણ પ્રકાર છે- 

1. ક્લાસિકલ (સાધારણ) ડેંગ્યુ તાવ
2. ડેંગ્યુ હેમરેજીક તાવ (ડીએચએફ)
3. ડેંગ્યુ શોક સિંડ્રોમ (ડીએસએસ)

ક્લાસિકલ જાતે જ સરખી થઈ જતી બિમારી છે અને આનાથી વ્યક્તિના મૃત્યુંનો ભય પણ નથી રહેતો પરંતુ જો (ડીએચએફ) તેમજ (ડીએસએસ)ની તુરંત સારવાર શરૂ કરવામાં ન આવે તો આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એટલા માટે તે જાણવું જરૂરી છે કે બિમારીનું સ્તર કેટલું છે? 

ડેંગ્યુના સાધારણ તાવની અંદર ઠંડીની સાથે અચાનક તાવ આવી જાય છે. માથામાં અને જોઈંટમાં દુ:ખાવો થાય છે. વધારે નબળાઈ જણાય છે અને ભુખ પણ નથી લાગતી. મોઢાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. શરીર પર લાલ કલરના રેશા ઉપસી આવેલા દેખાય છે. 

ડીએચએફમાં સાધારણ તાવની સાથે સાથે નાક, પેઢા, શૌચ અને ઉલ્ટીમાંથી લોહી પડે છે. ત્વચા પર ડાર્ક નીલા અને કાળા રંગના ચકતા પડી જાય છે. લોહીનું અમુક પરિક્ષણ કરાયા બાદ ડીએચએફની પુષ્ટિ થઈ શકે છે. 

ડીએસએસમાં ઉપરના લક્ષણોની સાથે સાથે શોકની અવસ્થાના અમુક લક્ષણો પણ પ્રગટ થઈ જાય છે. 

ડેન્ગ્યુ દૂર કરવાના ઘરેલું ઉપાય

ગળો (એક પ્રકારની વેલ) – ગળો એક એવી વેલ છે જેનુ આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. આ મેટાબૉલિક રેટ વધારવામાં, પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત રાખવા અને બોડીને ઈંફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. ડોક્ટરની સલાહ મુજબ આના થડને ઉકાળીને હર્બલ ડ્રિન્કની જેમ સર્વ કરી શકાય છે. તેમા તુલસીના પાન પણ નાખી શકાય છે.

પપૈયાના પાન – ડૉ. કહે છે કે આ પ્લેટલેટ્સની ગણતરી વધારવામાં મદદ કરે છે. સાથે જ બોડીમાં દુખાવો કમજોરી અનુભવવી, ઉબકા આવવા, થાક અનુભવવો વગેરે જેવા તાવન લક્ષણને ઓછા કરવામાં સહાયક છે. તમે તેના પાનને વાટીને ખાઈ શકો છો કે પછી તેને ડ્રિંકની જેમ પી પણ શકો છો. જે બોડીમાંથી ટૉક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે.

મેથીના પાન – આ પાન તાવને ઓછો કરવામાં સહાયક છે. આ પીડિતનુ દુખાવો દૂર કરી તેને સહેલાઈથી ઉંઘ લાવવામાં મદદ કરે છે. આના પાનને પાણીમાં પલાળીને એ પાણીને પી શકાય છે. આ ઉપરાંત મેથી પાવડરને પણ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે.

ગોલ્ડનસીલ – આ નાર્થ અમેરિકામાં જોવા મળતી એક હર્બ છે. જેને દવા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ હર્બમાં ડેંગુ તાવને ખૂબ જ ઝડપથી ખતમ કરી શરીરમાંથી ડેંગૂના વાયરસ ખતમ કરવાની ક્ષમતા હોય છે. આ પપૈયાના પાનની જેમ જ કામ કરે છે અને તેમની જ જેમ તેને પણ યૂજ કરવામાં આવે છે.

હળદર – આ મેટાબાલિજ્મ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલુ જ નહી ઘા ને જલ્દી ભરવામાં પણ મદદગાર સાબિત થાય છે. હળદરને દૂધમાં મિક્સ કરીને પી શકાય છે.

તુલસીના પાન અને કાળા મરી – તુલસીના પાન અને બે ગ્રામ કાળા મરીને ઉકાળીને પીવા આરોગ્ય માટે સારુ રહે છે. આ ડ્રિંક તમારી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત બનાવે છે અને એંટી બેક્ટેરિયલ તત્વના રૂપમાં કામ કરે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો