રાજકોટના સ્મશાનમાં અંતિમસંસ્કાર પહેલા ડેડબોડીમાં હલનચલન થતાં સ્વજનો મૃતદેહ લઇ હોસ્પિટલે દોડ્યા, તબીબે કહ્યું- માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારથી આવું થાય

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં રાત્રિના રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના 46 વર્ષીય દર્દીનું મોત થયું હતું. જે બાદ પરિવારજનોને 8.45 વાગ્યે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. મૃતદેહને રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર ખાતે લઇ જવામાં આવ્યો હતો. જોકે સ્મશાન પહોંચ્યા બાદ ડેડબોડી હલે છે તેમ કહી તેમનું સ્વજન જીવે છે સમજી પરત સિવિલ હોસ્પિટલ લઇ દોડી આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે પરિવારજનોને જણાવ્યું હતું કે, માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારના કારણે શરીરના સ્નાયુઓમાં કેટલીક વખત સખ્તાય આવે એટલે આવું થાય. આ સાંભળી પરિવારજનોની અંતિમ આશ પર પાણી ફરી વળ્યું હતું અને ફરી સ્મશાને લઇ જઇ અંતિમસંસ્કાર કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા દર્દીનું ચેકઅપ કરી મૃત જાહેર કર્યા હતા

રાજકોટના સદગુરુનગર શેરી નંબર 9માં રહેતા 46 વર્ષીય રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બાદ સ્વજનો દ્વારા દર્દી જીવે છે તેમ સમજી મૃતદેહ સ્મશાનથી ફરી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ડોક્ટર દ્વારા પેશન્ટનું ચેકઅપ કરવામાં આવતા પરિવારજનોને પોતાનું દર્દી મૃત છે તેની ખાતરી કરાવી આપી હતી. એક ઘડી તો પરિવારજનોમાં પણ આશા જાગી હતી કે પોતાના સ્વજન જીવતા છે પણ ડોક્ટરે ખાતરી કરતા ફરી પરિવારજનોની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ફરી ડેડ બોડીને સ્મશાન ખાતે લઇ જઇ અંતિમસંસ્કાર કર્યા

ડોક્ટર દ્વારા પરિવારજનોને માહિતી આપી કે, દરેક વ્યક્તિના મૃત્યુ બાદ મૃતકના શરીરમા આ પ્રકારની મુવમેન્ટ જોવા મળતી હોય છે. જેને રિગોર મોર્ટિસ કહેવામાં આવે છે. રિગોર મોર્ટિસ એ પોસ્ટમોર્ટમ પરિવર્તન છે. જેના પરિણામે તેમના માયોફિબ્રીલ્સમાં રાસાયણિક ફેરફારોને કારણે શરીરના સ્નાયુઓ સખ્તાયમાં આવે છે. રિગોર મોર્ટિસ મૃત્યુ પછીના સમયનો અંદાજ કાઢવામાં તેમજ મૃતદેહને મૃત્યુ પછી ખસેડવામાં આવ્યો છે કે કેમ તે શોધવા માટે મદદ કરે છે. તબીબોની સમજણ બાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી મૃતક રાજેન્દ્રસિંહ જાડેજાની ડેડબોડી તેમના પરિવારજનોને ફરી પરત કરી મોટામવા સ્મશાન ખાતે અંતિમવિધિ માટે લઇ જવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો