સુરતમાં વરાછામાંથી કોથળામાં પેક કરાયેલી યુવકની લાશ મળી, હત્યાની થઈ હોવાની આશંકા

સુરત શહેરમાંથી ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ નજીકથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. કોથળામાં પેક કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસને યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની આશંકા છે.

બનાવની વિગત એવી છે કે આજે બપોરે પોલીસને ભવાની સર્કલ નજીકથી બગીચામાંથી હત્યા કરાયેલી લાશ પડી હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા આશરે 30 વર્ષની ઉંમરના એક યુવકની કોથળામાં પેક કરાયેલી લાશ મળી આવી હતી.

મૃતદેહ નજીકથી ગાદલા અને ગોદડા પણ મળી આવ્યા હતા. મૃતકના શરીરમાં માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના નિશાનો મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મળી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથધરી હતી.

આ મામલે ઘટના સ્થળે આવેલા એસીપી પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે ‘વરાછા વિસ્તારમાં એક ભવાની સર્કલ છે. સર્કલમાં બ્યુટિફિકેશન માટે ઝાડવા રોપવામાં આવ્યા છે તેમાંથી ડેડ બોડી મળી છે. પ્રથમ દૃષ્ટીએ મૃતદેહનું ખૂન થયું હોવાનુ જણાઈ રહ્યું છે.

પોલીસે આ મામલે મરનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ પણ શરૂ કરૂ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી અને ઘટનાના તાર જોડી ગુનો ઉકેલવાની કામગીરી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો