દાહોદમાં પરિણીતાએ દર્દભરી સુસાઈડ નોટ લખી પુત્ર સાથે આપઘાત કર્યો, લખ્યું ‘પતિ અને તેની પ્રેમિકાને ફાંસીની સજા આપશો’

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે કહેવત સાર્થક કરતો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો છે પ્રેમાંધ બનેલો પરિણીત યુવક પ્રેમિકા સાથે ભાગી જતા આઘાતમાં સરી પડેલી પત્નીએ અઢી વર્ષના પુત્ર સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના અસાયડી ખાતે રેલવે ટ્રેક નજીકથી આજે લોહીલુહાણ હાલતમાં એક મહિલા અને માસૂમ બાળકનો મૃતદેહ જોઈ આસપાસના લોકો સ્તબ્ધ બની ગયા હતા. મૃતદેહ જોઈ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતદેહ નજીકથી મળેલ સ્યુસાઈડ નોટ વાંચી પોલીસ પણ ચોંકી ગઈ હતી, નોટમાં મૃતક મહિલા એ લખ્યું હતું કે, ‘મારો પતિ ચેતન ગામની જ મનીષાને લઈને ભાગી ગયો છે બંનેને શોધીને ફાંસીની સજા આપજો આજ કારણથી તે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી રહી છે’ હાજર સૌ કોઈ ના હોશ ઉડી ગયા હતા.

લીમખેડા તાલુકાના વડેલાના રહેવાસી ચેતનભાઈ પટેલના લગ્ન આશરે નવ વર્ષ પહેલાં સિંગવડ તાલુકાના છાપરવડ ની શર્મિષ્ઠાબેન સાથે થયા હતા ચેતન ભાઈને પાંચ વર્ષની પુત્રી અને અઢી વર્ષનો પુત્ર છે પરંતુ ચેતનને ગામની જ મનીષા નામની છોકરી સાથે આંખ મળી જતા પ્રેમમાં અંધ બનેલા ચેતન અને મનીષા ભાગી જતા આઘાત માં સરી પડેલી શર્મિષ્ઠાબેન પોતાના અઢી વર્ષના પુત્રને લઈને દેવગઢબારીયાના અસાયડી ખાતે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લેતા હાહાકાર મચી ગઇ હતી. પોલીસે મળેલ નોટ ના આધારે મૃતક ના પતિ અને પ્રેમિકા ની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો