જયપુરની રેસ્ટોરાંમાં બર્ગરની અંદરથી વીંછી નીકળ્યો, પહેલી બાઈટ લીધા પછી યુવક હોસ્પિટલ પહોંચ્યો; કેસ દાખલ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રસિધ્ધ રેસ્ટોરાંમાં બર્ગરની અંદર વીંછી નીકળવાની ઘટના સામે આવી છે. મિત્ર સાથે બર્ગર ખાવા પહોંચેલા યુવકે વીંછીનો અડધો ભાગ પણ ખાઈ લીધો હતો. અચાનક મોંમાં વિચિત્ર સ્વાદ આવવાથી યુવકે જોયું તો તેના બર્ગરમાં વીંછીનો અડધો ભાગ નજરે આવ્યો.

તબીયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકને હાલ ઓબ્સર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. યુવકે મેનેજર વિરુદ્ધ જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં કેલ દાખલ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રેસ્ટોરન્ટથી 2 બર્ગર ખરીદ્યા હતા
જવાહર સર્કલ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર એરપોર્ટ રોડના શાંતિ કોલોનીનો રહેવાસી 22 વર્ષીય તરુણ સૈની 17 સપ્ટેમ્બરે રાત્રે 8.30 વાગ્યે એક રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા માટે તેના મિત્ર સાથે ગયો હતો. ત્યાં તેણે બે બર્ગર મંગાવ્યા. એક બર્ગર મિત્રને આપ્યું. જ્યારે તેણે કાગળમાં ભરેલું બર્ગર ખોલ્યું અને તેનો અડધો ભાગ ચાવી ગયો ત્યારે સ્વાદ બદલાયેલો લાગ્યો. મોંઢાની અંદર વિચિત્ર સ્વાદ આવતા યુવકને શંકા ગઈ.

હાથમાં પકડેલા બર્ગરના અડધા ટુકડામાં કાળા જીવડા જેવું કઈક નજરે આવ્યું. યુવકે મોઢામાં રાખેલો ભાગ પણ બહાર કાઢ્યો. પછી ખબર પડી કે બર્ગરમાં એક નાનો કાળો વીંછી મરી ગયેલો હતો. યુવકે બર્ગરમાંથી અડધો ભાગ તો ખાઈ લીધો હતો. બર્ગરમાં વીંછી જોઈને તરુણ ગભરાઈ ગયો. રેસ્ટોરન્ટમાં હોબાળો થઈ ગયો. બંને સાથીઓએ સમગ્ર મામલે રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે વાત કરી હતી. યુવકોએ આરોપ લગાવ્યો હતો કે હાજર સ્ટાફે બર્ગર છીનવી ફેંકી દીધું હતું.

મેનેજરે ધમકી આપી
રેસ્ટોરન્ટના સ્ટાફે બર્ગર જેવો બર્ગર છીનવ્યા પછી યુવકે ઘટનાસ્થળે હોબાળો મચાવ્યો. યુવકોએ રેસ્ટ્રોરન્ટના મેનેજર પર પણ અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ કર્યો છે. યુવકનો આરોપ છે કે હોબાળા દરમિયાન મેનેજરે તેને ધમકી આપી હતી.

100 નંબર પર કોલ કરી પોલીસને જણાવ્યું
ત્યાર બાદ યુવકે 100 નંબર પર કોલ કરીને મામલાની જાણકારી પોલીસને આપી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. તે દરમિયાન મેનેજરે યુવકને પોતાના કેબિનમાં ઘુસવા નહોતો દીધો. હોબાળો થતો જોઈને ઘટનાસ્થળે લોકોની ભીડ એકઢી થઈ ગઈ. તે દરમિયાન યુવકની તબીયત ખરાબ થવા લાગી. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે.

જયપુરના સૌથી જૂના રેસ્ટોરન્ટ્સમાંનું એક રેસ્ટોરન્ટ
જે સ્થળે આ કેસ સામે આવ્યો તે જયપુરની સૌથી જૂની રેસ્ટોરાંમાંની એક છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. સપ્તાહના અંતે કલાકોની લાઇન હોય છે. આસપાસ શોપિંગ સેન્ટર્સ અને વિવિધ ફૂડ પોઇન્ટ્સ છે, જે જયપુરના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક છે.

ફોરેન્સિક લેબ સેમ્પલ મોકલાવામાં આવ્યા
હોબાળો વધ્યા બાદ જવાહર સર્કલ પર પોલીસ પહોંચી હતી. હોબાળો વધ્યા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. સેમ્પલને ફોરેન્સિક લેબમાં ટેસ્ટીંગ માટે મોકલાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો