કોરોના પોઝિટિવ પોલીસકર્મીને સિવિલ હોસ્પિટલમાં થયો કડવો અનુભવ, સંભળાવી આપવીતી
એચ ડિવિઝન ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને પોલીસકર્મીઓનો કોવિડ-19નો ટેસ્ટ કરવા માટે મેડિકલ સ્ટાફ સાથે કો-ઓર્ડિનેટ કરતાં નોડલ ઓફિસર વિષ્ણુ ચૌહાણને સિવિલ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો. 41 વર્ષીય પોલીસકર્મીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપવીતી જણાવી છે. તેમણે કહ્યું, તેમના ગળામાં દુખાવો હતો અને તાવથી શરીર ધખતું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વિષ્ણુ ચૌહાણે કહ્યું, “11 મેના રોજ હું સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટે ગયો હતો. તેમણે મારો એક્સ-રે કાઢ્યો અને કહ્યું કે મારું સ્વાસ્થ્ય એકદમ બરાબર છે. મેં તેમને કહ્યું કે, મારી તબિયત ખરાબ છે પરંતુ તેમણે મારી એક વાત ના સાંભળી અને મને ઘરે જવાનું કહી દીધું. બાદમાં હું તાત્કાલિક ખાનગી લેબોરેટરિમાં ગયો અને ટેસ્ટ કરાવ્યો. 11 મેની સાંજે લેબવાળાએ જણાવ્યું કે, હું કોરોના પોઝિટિવ છું. મેં એક હોટલમાં રૂમ રાખ્યો અને ત્યાં રહ્યો. ઘરે જઈને હું મારી પત્ની અને 10 વર્ષની દીકરીના સ્વાસ્થ્યને જોખમમાં નહોતો મૂકવા માગતો.”
નિરાશ થયેલા વિષ્ણુ ચૌહાણે પોતાના ફેસબુક સ્ટેટસમાં લખ્યું, “હું કોવિડ-19 વૉરિયર નથી.” બીજા દિવસે બપોરે 12.30 કલાકે વિષ્ણુ ચૌહાણ SVP હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં તેમણે પોતાનો કોવિડ-19નો રિપોર્ટ બતાવ્યો અને દાખલ કરવાનું કહ્યું. જો કે, SVPમાં બેડ ખાલી ના હોવાથી તેમણે વિષ્ણુ ચૌહાણને સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. જો કે, સિવિલ હોસ્પિટલવાળા પણ તેમને દાખલ કરવા માટે તૈયાર નહોતા. તેમણે ચૌહાણને ઘરે આઈસોલેટ થવાની સલાહ આપી હતી.
વિષ્ણુ ચૌહાણે પીડા વર્ણવતા આગળ કહ્યું, “મેં તેમને જણાવ્યું કે, હું બાપુનગર પોલીસ લાઈન્સમાં રહું છું અને એક જ રૂમમાં મારી પત્ની અને દીકરી સાથે આઈસોલેટ ના થઈ શકું. આ વાત સાંભળ્યા પછી પણ તેમણે મને દાખલ કરવાની ના પાડી હતી. બાદમાં મેં ડીસીપીને ફોન કર્યો હતો. અંતે જેમ-તેમ કરીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ શક્યો હતો.”
જો કે, વિષ્ણુ ચૌહાણનો ભયંકર અનુભવ આટલેથી ના અટક્યો. સિવિલમાં તેઓ દાખલ તો થયા પરંતુ સાંજે 6.30 કલાક સુધી તેમને સારવાર ના મળી. વિષ્ણુ ચૌહાણે કહ્યું, “મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને સારવાર ના મળતી હોવાનું જણાવ્યું. બાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના એ. કે. પટેલે હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરી પછી મને સારવાર મળી હતી. દુઃખની વાત તો એ છે કે, તેમણે મારી પત્ની અને દીકરીનો ટેસ્ટ ના કર્યો. તેના બદલે અર્બન હેલ્થ ઓફિસરો મારા ઘરે ગયા અને વિટામિન Cની દવા આપીને પાછા આવી ગયા.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

