અમદાવાદમાં હવે રસ્તા પર સૂઈ રહેલા લોકોને કોર્પોરેશન રેનબસેરામાં પહોંચાડશે, તબીબી સારવાર પણ આપશે

એએમસી દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં હવે રાત્રે રસ્તા પર સૂઇ રહેલા પરિવાર કે વ્યક્તિને રેનબસેરા ખાતે પહોંચાડવાના, તેમને જરૂર જણાય તો તબીબી સારવાર આપવાની અને ભૂખ્યા હોય તો ભોજન પણ આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે, પરંતુ જો ફૂટપાથ પર સૂતેલા આવા લોકો કોઇ કંન્સ્ટ્રકશન સાઇટના કામદારો હશે તો તેવા સંજોગોમાં તે સાઇટની મંજૂરીઓ સસ્પેન્ડ કરાશે. મ્યુનિ. કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે ઘરવિહોણાં લોકોને મ્યુનિ. તત્કાલ શેલ્ટર પૂરું પાડશે.

ખાલી શાળાઓમાં વ્યવસ્થા કરાશે

જો રેનબસેરામાં વધુ લોકો આવી જાય તો હાઉસિંગ સેલ દ્વારા મ્યુનિ. દ્વારા બનાવવામાં આવેલા મકાનોમાં તેમને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. ખાલી શાળાઓમાં પણ તેમને રાખવાની વ્યવસ્થા થઈ શકે છે.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો